

હૈદરાબાદઃ તેલંગાણા (Telangana)ના પાટનગર હૈદરાબાદ (Telangana)ની લેબમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો તેને તૈયાર કરવામાં સફળતા મળશે તો ટૂંક સમયમાં તેની દવા અને રસીની શોધ કરવામાં મદદ મળશે.


અનેક દેશોમાં ફેલાઈ ચૂકેલા સંક્રમણની દુનિયાના અનેક ડૉક્ટર દવા શોધવામાં લાગ્યા છે પરંતુ હજુ સુધી કોઈને સફળતા નથી મળી. આ ટેસ્ટ સેલ્યૂસર એન્ડ મોલેક્યૂલર બાયોલોજી (Cellular & Molecular Biology-CCMB)ની લેબમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે.


દવા બનાવવામાં લાંબી સમય લાગી શકે છેઃ CCMBના નિદેશક રાકેશ મિશ્રાએ જણાવ્યું કે, આ વાયરસની હજી સુધી કોઈ રસી કે દવા નથી બનાવી શકાઈ અને તેને બનાવવામાં કેટલો સમય લાગી શકે છે તે કહી ન શકાય. તેથી જરૂરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવે.


ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાયરસના પ્રસારને રોકવા માટે 14 એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કર્યું છે.


ટેસ્ટિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છેઃ CCMBએ મંગળવારે કોરોના વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે અને તેની પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. રાકેશ મિશ્રાએ જણાવ્યું કે, અમે અમારી લેબમાં આ વાયરસને મોટી સંખ્યામાં ઉત્પન્ન કરવાનું શરૂ કરી દીધું છે, જેનાથી અમે કોશિકાઓમાં તેની વૃદ્ધિનું અધ્યયન કરવા માટે સીરમ ટેસ્ટ માટે ઉપયોગ કરી શકીએ.


તેલંગાણામાં કોરોનાના આટલા કેસઃ તેલંગાણામાં કોરોના વાયરસના 97 કેસ સામે આવ્યા છે જેમાંથી 6 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી સૌથી વધુ કેસ હૈદરાબાદમાં જોવા મળ્યા છે.