Home » photogallery » national-international » દેશની સૌથી પહેલી Corona દર્દીને ફરી લાગ્યું સંક્રમણ, COVIDમાંથી સાજા થયા બાદ પણ ચેતજો!

દેશની સૌથી પહેલી Corona દર્દીને ફરી લાગ્યું સંક્રમણ, COVIDમાંથી સાજા થયા બાદ પણ ચેતજો!

આ દર્દી કેરળના ત્રીશૂરમાં રહે છે અને મેડિકલ સ્ટુડન્ટ છે. તે 2020ની 30 જાન્યુઆરીએ વુહાનથી પરત ફરી હતી. અત્યારે તેની સારવાર ઘરે જ ચાલી રહી છે.

  • 15

    દેશની સૌથી પહેલી Corona દર્દીને ફરી લાગ્યું સંક્રમણ, COVIDમાંથી સાજા થયા બાદ પણ ચેતજો!

    દેશમાંથી બીજી લહેરની અસર (Second Wave of Coronavirus) ઓછી થઈ રહી છે. કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે, કેરળ સહિતનાં કેટલાંક રાજ્યોમાં આજે પણ સ્થિતિ ગંભીર છે. આ દરમિયાન દેશની સૌપ્રથમ કોરોના દર્દીને ફરીથી કોરોના થયો હોવાનું જાણવા મળે છે. આ દર્દી કેરળના ત્રીશૂરમાં રહે છે અને મેડિકલ સ્ટુડન્ટ છે. તે 2020ની 30 જાન્યુઆરીએ વુહાનથી પરત ફરી હતી. અત્યારે તેની સારવાર ઘરે જ ચાલી રહી છે.

    MORE
    GALLERIES

  • 25

    દેશની સૌથી પહેલી Corona દર્દીને ફરી લાગ્યું સંક્રમણ, COVIDમાંથી સાજા થયા બાદ પણ ચેતજો!

    ત્રિશૂરના મેડિકલ ઓફિસર ડો. કેજે રીનાએ જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટુડન્ટને ફરીથી કોરોના સંક્રમણ લાગ્યું છે. તેનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને એન્ટીજન નેગેટિવ છે. તેનામાં લક્ષણ નથી. અત્યારે સ્ટુડન્ટ પોતાના ઘરે છે અને સ્વાસ્થ્ય સામાન્ય છે.

    MORE
    GALLERIES

  • 35

    દેશની સૌથી પહેલી Corona દર્દીને ફરી લાગ્યું સંક્રમણ, COVIDમાંથી સાજા થયા બાદ પણ ચેતજો!

    ત્રિશૂરની મેડીકલ કોલેજમાં તેની ત્રણ અઠવાડિયા સુધી સારવાર ચાલી હતી. ત્યાં તેનો રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યો હતો. સાજી થઈ જતા તેને 2020ની 20મી ફેબ્રુઆરીએ રજા આપી દેવાઈ હતી.

    MORE
    GALLERIES

  • 45

    દેશની સૌથી પહેલી Corona દર્દીને ફરી લાગ્યું સંક્રમણ, COVIDમાંથી સાજા થયા બાદ પણ ચેતજો!

    ત્રીશુરમાં સંક્રમણના 1,092 નવા કેસ નોંધાયા છે. કોઝિકોડમાં 780 અને કોલ્લમમાં 774 કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળે છે. આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે માહિતી આપી હતી કે, કેરળમાં સંક્રમણ દર 9.14 ટકા છે.

    MORE
    GALLERIES

  • 55

    દેશની સૌથી પહેલી Corona દર્દીને ફરી લાગ્યું સંક્રમણ, COVIDમાંથી સાજા થયા બાદ પણ ચેતજો!

    નોંધનીય છે કે, કેરળમાં કોરોના વાયરસના કેસમાં અસરકારક ઘટાડો થયો નથી. સોમવારે કેરળમાં 7798 કેસ સામે આવ્યા હતા. મહામારીથી 100 લોકોના મોત નિપજ્યા હતા. આ સાથે જ કુલ કેસની સંખ્યા 30,73,134 સુધી પહોંચી છે. કુલ 14,686 લોકોના મોત થયા છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે.

    MORE
    GALLERIES