ઉત્તર પ્રદેશ (Uttar pradesh)ના સોનભદ્ર (Sonbhadra)ના ઘોરવાલ તાલુકાની સરહદને અડીને આવેલા મધ્ય પ્રદેશ (Madhya pradesh)ના ગઢવાના ખૈડારની રહેવાસી જૂડાવતી વૈશ્ય કુશહરા ખાતે શ્રી પ્રમોદજી મહિલા મહાવિદ્યાલયમાં બીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેના પરિવારના લોકોએ અભ્યાસ દરમિયાન જ તેના લગ્ન (Marriage)નક્કી કરી દીધા હતા. ગુરુવારે 26 મેના રોજ તેના લગ્ન યોજાયા હતા. આ દરમિયાન વિદ્યાર્થિનીની ત્રીજા વર્ષની પરીક્ષાની તારીખ પણ આવી ગઈ હતી. જે મુજબ 26 મેના રોજ તેના લગ્ન અને 27 મેના રોજ સવારે તેની પરીક્ષા (Bride Exam) હોવાથી તે પરેશાન થઈ ગઈ હતી.
યુવતીના પિતા લાલજી વૈશ્યના કહેવા પ્રમાણે, જુડાવતીએ તેમને કહ્યું કે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હોવા છતાં તે પરીક્ષા જરૂરથી આપશે. જો તે પરીક્ષા ચૂકી જશે તો તેની આખા વર્ષની મહેનત વ્યર્થ જશે. આ સાંભળીને તેના પિતા પરેશાન થઈ ગયા કે છોકરાના પક્ષના લોકો આ વાત માટે રાજી થશે કે નહીં. જ્યારે તેણે છોકરાના સંબંધીઓને આ અંગે વાત કરી તો તેમને આશ્વાસન આપ્યું, છતાં તેઓ સંતુષ્ટ ન થયા.