ભોજપુરના બડહરા પ્રખંડમાં આવેલ કૃષ્ણગઢ પોલીસ ચોકીના માલખાનામાં છેલ્લા 29 વર્ષથી બંધ ભગવાન હનુમાન અને રામાનુજ સ્વામીને મુક્તિ મળી છે. અષ્ટધાતુથી બનેલી મૂર્તિને આરા કોર્ટના આદેશ બાદ મંગળવારે મુક્ત કરવામાં આવ્યા હતા, જે બાદ સ્થાનિક લોકો ખુશીથી ઝુમવા લાગ્યા હતા. આ દરમિયાન સમગ્ર પરિસરમાં લોકો માલખાનામાંથી નીકળેલા હનુમાનજી અને રામાનુજ સ્વામીની મૂર્તિઓના દર્શન કરવા માટે ઉમટી પડ્યા અને ત્યાં જ પૂજા અર્ચન શરુ થયા હતા.
હકીકતમાં જોઈએ તો, બડહરાના કૃષ્ણગઢ પોલીસ ચોકીમાં પૂર્વી ગુંડીમાં દક્ષિણ ભારતના મંદિરની શૈલીમાં બનાવવામાં આવેલ રંગનાથ મંદિરથી 1994માં ચોરો દ્વારા ચોરી થઈ ગઈ હતી. ભગવાન હનુમાન અને રામાનુજ સ્વામીની અષ્ટધાતુની મૂર્તિ ચોરીના થોડા મહિના બાદ જપ્ત થયા બાદ પોલીસ ચોકીના માલખાનામાં રાખવામાં આવી હતી. ચોરી થયેલી આ મૂર્તિને ચોરી બાદ પોલીસે આરા શહેરના સિંગહી ગામના એક બગીચામાં રખાવી.
આચાર્ય કિશોર કુણાલે કહ્યું કે, ઘણા પ્રયાસ બાદ પોલીસ દ્વારા મૂર્તિની સુરક્ષા ગેરેન્ટી આપ્યા બાદ તેને રિલીઝ કરવાની વાત સામે આવી. પણ તેના પર પ્રશાસન તૈયાર નહોતું. જે બાદ આ બંને મૂર્તિઓ કેદ હતી. લગભગ 11 મહિના પહેલા મહાવીર મંદિર ન્યાસ સમિતિના સચિવ આચાર્ય કિશોર કુણાલે બંને મૂર્તિઓ વિશે જાણકારી આપતા તેમને ભોજપુર પોલીસનો સંપર્ક સાધ્યો.