

નવી દિલ્હીઃ દેશભરની સ્કૂલો અને કોલેજો (School-Colleges) છેલ્લા ચાર મહિનાથી બંધ છે. કોરોના વાયરસ (Coronavirus)ની મોટી અસર દેશની શિક્ષણ વ્યવસ્થા (Education System) ઉપર પણ પડી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને સ્કૂલો વહેલી ન ખોલવાને લઈ અનેક સ્થળે પેરેન્ટ્સ કેમ્પેન પણ ચલાવી રહ્યા છે.


બીજી તરફ, રાજ્ય સરકારો સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)ના તમામ માપદંડોનું પાલન કરતાં સ્કૂલો ફરી ખોલવાની યોજના પર સતત કામ કરી રહી છે. આ દરમિયાન, સ્કૂલો ફરી ખોલવાને લઈ એક અગત્યની જાણકારી સામે આવી છે.


20 જુલાઈ સુધીમાં જવાબ આપવો પડશેઃ મૂળે, એનડીટીવીના રિપોર્ટ મુજબ, કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી પેરેન્ટ્સના ફિડબેક લેવા માટે કહ્યું છે કે ક્યારથી સ્કૂલ ફરી ખોલવાને (Schools Re Opening) લઈ સહજ છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય (Human Resource Development Ministry)ના સ્કૂલ એજ્યૂકેશન એન્ડ લિટરલી વિભાગ દ્વારા મોકલવામાં આવેલા સર્કુલરમાં પેરેન્ટ્સને પણ પૂછવામાં આવ્યું છે કે સ્કૂલ શરૂ કર્યા બાદ તેમની શું અપેક્ષા છે.


તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ સચિવો પાસેથી 20 જુલાઈ સુધી તેનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ મામલામાં પેરેન્ટ્સના ફીડબેક મળ્યા બાદ જ તે અંગે નિર્ણય લેવામાં શક્યતા છે કે સ્કૂલ ઓગસ્ટ, સપ્ટેમ્બર કે ઓક્ટોબર ક્યારથી ખોલવામાં આવશે.


કેન્દ્ર સરકારના આ સર્કલરમાં આ બાબતો અંગે પૂછવામાં આવ્યું છેઃ (1) પેરેન્ટ્સ ઓગસ્ટ, સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાંથી કયા મહિનામાં સ્કૂલ ફરી ખોલાવાને લઈ સહજ છે. (2) જ્યારે સ્કૂલો ફરી શરૂ થશે ત્યારે પેરેન્ટની શું અપેક્ષાઓ રહેશે. (3) આ મામલામાં અન્ય ફીડબેક, ટિપ્પણી કે ભલામણ પણ આમંત્રિત છે.


અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડોઃ કોરોના વાયરસના કારણે દેશમાં 16 માર્ચથી જ સ્કૂલ તથા કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાન બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે, જૂનના અંતમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે 31 જુલાઈ સુધી સ્કૂલ અને કોલેજ બંધ રાખવામાં આવશે. કોરોના વાયરસથી ઊભી થયેલી સ્થિતિને કારણે સરકારે અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.