ભારતીય નૌસેના માટે આજે બહુ મોટો દિવસ છે. ગુરુવારે ભારતીય નૌસેનાના બેડામાં આઇએનએસ કવરત્તી સામેલ થઈ ગયું છે. ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે (Indian Army Chief General Manoj Mukund Naravane)એ સબમરીન રોધી પ્રણાલીથી સજ્જ આ સ્વદેશી આઇએનએસ કરવત્તીને નૌસેનાના બેડામાં સામેલ કરાવ્યું. મેડ ઇન ઈન્ડિયા (Made In India) આઇએનેએસ કવરત્તી (INS Kavaratti) યુદ્ધ જહાજને ભારતીય નૌસેના (Indian Navy)ના સંગઠન ડાયરેક્ટર ઓફ નેવલ ડીઝાઇનએ ડીઝાઇન કર્યું છે. ભારતના આ જંગી જહાજની ખાસ વાત એ છે કે તે કોઈ રડારની પકડમાં નથી આવતું. (Photo: ANI)
INS Kavarattiનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે કર્યું છે. આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat)ની દિશામાં આ એક અગત્યનું પગલું છે. આ યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ થવાથી તેની તાકાતમાં અનેકગણો વધારો થશે. આઇએનએસ કવરત્તીનો 90 ટકા હિસ્સો સ્વદેશ નિર્મિત છે અને નવી ટેકનીકની મદદથી તેની દેખરેખ કરવાની જરૂરિયાત પણ ઓછી રહેશે.
મેડ ઇન ઈન્ડિયા (Made In India) આઇએનએસ કવરત્તી યુદ્ધ જહાજને ભારતીય નૌસેના (Indian Navy)ના સંગઠન ડાયરેક્ટર ઓફ નેવલ ડીઝાઇન (DND)એ ડીઝાઇન કરી છે. તેનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે કર્યું છે. આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat)ની દિશામાં આ એક અગત્યનું પગલું છે. આ યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ થવાથી તેની તાકાતમાં અનેકગણો વધારો થશે.
INS Kavarattiના નૌસેનામાં સામેલ થવા પર અધિકારીઓનું કહેવું છે કે આ અત્યાધુનિક હથિયાર પ્રણાલી છે અને તેમાં એવા સેન્સર લાગેલા છે જે સબમરીનની ભાળ મેળવશે અને તેનો પીછો કરવામાં સક્ષમ છે. આ પ્રોજેક્ટ-28 હેઠળ સ્વદેશમાં નિર્મિત ચાર સબમરીન રોધી જંગી સ્ટીલ્થ જહાજ પૈકીનું અંતિમ જહાજ છે. નોંધનીય છે કે આ પહેલા ત્રણ યુદ્ધ જહાજ ભારતીય નૌસેનાને સોંપવામાં આવી ચૂક્યા છે.