Home » photogallery » national-international » PHOTOS: પત્નીના નિધન બાદ દીવનો આ ભાઈ સાયકલ પર બે દીકરીઓને લઈને ભારત ભ્રમણ પર નીકળ્યો

PHOTOS: પત્નીના નિધન બાદ દીવનો આ ભાઈ સાયકલ પર બે દીકરીઓને લઈને ભારત ભ્રમણ પર નીકળ્યો

મુર્શિદાબાદ: પ્લાસ્ટિકનો વધું પડતો ઉપયોગ આપણા બધાં માટે નુકસાનકારક છે, એ વાત તો આપણે સૌ જાણીએ છીએ, પણ તેના ઉપયોગને ઘટાડવવા માટે દીવના અનિલ ચૌહાણ નામના આ શખ્સે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનું સ્વપ્ન લઈને સાયકલ પર દેશની સફરે નીકળ્યા છે. તેમની સાથે બે બાળકીઓ પણ છે. આ ત્રણેય છેલ્લા એક વર્ષથી દેશના અલગ અલગ ભાગમાં સાયકલ લઈને ફરે છે. (રિપોર્ટ-કૌશિક અધિકારી)

  • Local18
  • |
  • | Diu, India

  • 15

    PHOTOS: પત્નીના નિધન બાદ દીવનો આ ભાઈ સાયકલ પર બે દીકરીઓને લઈને ભારત ભ્રમણ પર નીકળ્યો

    સાયકલ પર યાત્રા શરુ કરનારા આ શખ્સ એક 1 વર્ષ અને 3 મહિના બાદ મુર્શિદાબાદના ફરક્કા પહોંચ્યા છે. દેશને પ્લાસ્ટિક મુક્ત રાખવાનો મેસેજ આપવા માટે તેની સાથે બે દીકરીઓ શ્રેયા ચૌહાણ અને ઈપ્તિ ચૌહાણ પણ છે. છેલ્લા એક વર્ષથી તે પોતાના પિતા સાથે ભારતના અલગ અલગ ભાગમાં ફરી રહ્યા છે અને લોકોને પ્લાસ્ટિક મુક્ત સમાજ બનાવવા માટે સમજાવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    PHOTOS: પત્નીના નિધન બાદ દીવનો આ ભાઈ સાયકલ પર બે દીકરીઓને લઈને ભારત ભ્રમણ પર નીકળ્યો

    પર્યાવરણની આટલી ચિંતા કરનારા અનિલ ચૌહાણ કોઈ અમીર કે પૈસાવાળા પરિવારમાંથી નથી આવતો. તે એક માછીમાર છે અને પત્નીના નિધન બાદ તેઓ બંને પુત્રીને લઈને સાયકલ પર ભારત ભ્રમણમાં નીકળ્યા છે. અનિલ હાલ મુર્શિદાબાદ પહોંચ્યો છે. આવતા ચાર મહિનામાં તે પોતાના વતન દીવ પરત ફરશે, તેવો તેમનો ટાર્ગેટ છે.

    MORE
    GALLERIES

  • 35

    PHOTOS: પત્નીના નિધન બાદ દીવનો આ ભાઈ સાયકલ પર બે દીકરીઓને લઈને ભારત ભ્રમણ પર નીકળ્યો

    લોકોને પ્લાસ્ટિકથી થતાં નુકસાનથી ચેતવવા અને તેનો ઉપયોગને બંધ કરવા માટે થઈને આ ભાઈ ભારતના અલગ અલગ રાજ્યમાં સાયકલ પર પોતાની બંને પુત્રીઓ સાથે નીકળી પડ્યા છે. આપણે જાણીને નવાઈ લાગશે કે, આ ભાઈની બંને પુત્રીઓ આ યાત્રા દરમિયાન પણ ઓનલાઈન અભ્યાસ કરી રહી છે.

    MORE
    GALLERIES

  • 45

    PHOTOS: પત્નીના નિધન બાદ દીવનો આ ભાઈ સાયકલ પર બે દીકરીઓને લઈને ભારત ભ્રમણ પર નીકળ્યો

    આપને જણાવી દઈએ કે, અનિલ એવું ઈચ્છે છે કે, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ જોઈએ. આ પ્લાસ્ટિકના કારણે અસંખ્ય ગાયોના મોત થાય છે. અનિલ ચૌહારણે ભારત ભ્રમણની યાત્રા કેવી રીતે ચાલું કરી તે સમજાવતા કહે છે કે, આ યાત્રા દરમિયાન સ્થાનિક લોકો તેમના માટે ભોજનની વ્યવસ્થા કરતા હતા.

    MORE
    GALLERIES

  • 55

    PHOTOS: પત્નીના નિધન બાદ દીવનો આ ભાઈ સાયકલ પર બે દીકરીઓને લઈને ભારત ભ્રમણ પર નીકળ્યો

    જ્યારે હું દમણ અને દીવથી સાયકલ પર મારી દીકરીઓને લઈને પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાન માટે નીકળી પડ્યો ત્યારે મારા ગામના લોકો મારા પર હસી રહ્યા હતા. જો કે, મેં આ કામને મારી જવાબદારી તરીકે સ્વીકારી લીધું છે. મારી પત્નીના નિધન બાદ હું મારી બાળકીઓને કેવી રીતે છોડી દઉં, એટલા માટે તેમને પણ સાથે લઈ લીધી.

    MORE
    GALLERIES