Home » photogallery » national-international » અમિત શાહની 'ભવિષ્યવાણી'.. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન, ભાજપ કેટલી બેઠકો જીતશે તે પણ કહ્યું

અમિત શાહની 'ભવિષ્યવાણી'.. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન, ભાજપ કેટલી બેઠકો જીતશે તે પણ કહ્યું

Amit Shah, Narendra Modi: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છ કે વડાપ્રધાન સતત ત્રીજી વખત 300 વધુ બેઠકો જીતીને દેશના વડાપ્રધાન બનશે. આ દરમિયાન તેમણે કોંગ્રેસની નકારાત્મક વલણ પર સવાલ ઉઠાવ્યા છે. દેશમાં નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો મુદ્દો સતત ચર્ચામાં છે.

  • 17

    અમિત શાહની 'ભવિષ્યવાણી'.. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન, ભાજપ કેટલી બેઠકો જીતશે તે પણ કહ્યું

    ગુવાહાટીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જણાવ્યું કે સામાન્ય ચૂંટણીમાં ભાજપ 300થી વધારે બેઠકો જીતી શકે છે અને નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન તરીકે જીત હાંસલ કરશે. કોંગ્રેસ પર વાત કરીને તેમણે કહ્યું કે, 2024માં દેશની સૌથી જૂની પાર્ટી લોકસભામાં પોતાની હાલની બેઠકોની સંખ્યા પણ યથાવત રાખવા માટે સંઘર્ષ કરશે. આસામ સરકારની નોકરીઓ માટે સફળ 44,703 ઉમેદવારોની નિમણૂક પત્રોના વિતરણના ઉપલક્ષ્યમાં આયજિત એક જનસભાને સંબોધિત કરીને ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે નવા સંસદ ભવનનું 28મેએ ઉદ્ઘાટન કાર્યક્રમનો નિર્ણય કોંગ્રેસનું નકારાત્મક વલણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી આ મુદ્દે રાજકારણ કરવા બદલ કોંગ્રેસની નિંદા કરી છે.

    MORE
    GALLERIES

  • 27

    અમિત શાહની 'ભવિષ્યવાણી'.. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન, ભાજપ કેટલી બેઠકો જીતશે તે પણ કહ્યું

    અમિત શાહે "નરેન્દ્ર મોદી આગામી વર્ષે 300થી વધારે બેઠકો સાથે ફરી એકવાર દેશના પીએમ બનશે. કોંગ્રેસે વિપક્ષનો દરજ્જો ગુમાવી દીધો છે અને તે લોકભામાં આ સમયે જેટલી બેઠકો છે તેને પણ હાંસલ નહીં કરી શકે. કોંગ્રેસનું વલણ નકારાત્મક છે. પીએમ 28મી મેએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. પરંતુ કોંગ્રેસ તેનો બહિષ્કાર કરીને રાજકારણ કરી રહી છે. એવું બહાનું કાઢીને કે રાષ્ટ્રપતિએ તેનું ઉદ્ઘાટન કરવું જોઈએ."

    MORE
    GALLERIES

  • 37

    અમિત શાહની 'ભવિષ્યવાણી'.. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન, ભાજપ કેટલી બેઠકો જીતશે તે પણ કહ્યું

    કેન્દ્રીય ગૃહમંત્રીનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે 21 વિરોધી પક્ષોને વડાપ્રધાન દ્વારા નવા સંસદ ભવનના ઉદ્ઘાટન બાબતે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય ભૂમિકાને ઓછી કરે છે અને તેમનો અનાદર કરે છે.

    MORE
    GALLERIES

  • 47

    અમિત શાહની 'ભવિષ્યવાણી'.. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન, ભાજપ કેટલી બેઠકો જીતશે તે પણ કહ્યું

    આ મામલો એક મોટા રાજકીય વિવાદ સાબિત થઈ રહ્યો છે, જે શાસક અને વિરોધ પક્ષો વચ્ચેના તણાવને વેગ આપે છે. ઉદ્ઘાટન કાર્યક્રમનો 21 વિપક્ષી પક્ષો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે, જેમણે કહ્યું છે કે જ્યારે 'લોકશાહીનો આત્મા મરી ગયો છે' ત્યારે તેમને નવી ઈમારતનું કોઈ મૂલ્ય દેખાતું નથી. 25 પક્ષો - 18 એનડીએ ઘટક અને સાત બિન-એનડીએ પક્ષો - રવિવારના કાર્યક્રમમાં હાજર રહેશે.

    MORE
    GALLERIES

  • 57

    અમિત શાહની 'ભવિષ્યવાણી'.. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન, ભાજપ કેટલી બેઠકો જીતશે તે પણ કહ્યું

    અમિત શાહે વડાપ્રધાન દ્વારા નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહ અંગે સરકારના નિર્ણયનો બચાવ કર્યો અને દલીલ કરી કે કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ દ્વારા શાસિત રાજ્યોમાં આવા ઘણા ઉદાહરણો છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે તે કિસ્સાઓમાં, નવી વિધાનસભા ઇમારતોનો શિલાન્યાસ રાજ્યપાલોને બદલે સંબંધિત મુખ્યમંત્રી અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના અગ્રણી કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 67

    અમિત શાહની 'ભવિષ્યવાણી'.. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન, ભાજપ કેટલી બેઠકો જીતશે તે પણ કહ્યું

    અમિત શાહે કહ્યું, 'કોંગ્રેસ પીએમને સંસદની અંદર બોલવા દેતી નથી અને તેમના સંબોધનમાં વિક્ષેપ પાડે છે. ભારતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં બોલવાનો આદેશ આપ્યો છે. પીએમનું સન્માન ન કરવું એ દેશના લોકોના જનાદેશનો અનાદર કરવા જેવું છે.'' વધુમાં, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ભાજપે 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા આસામમાં એક લાખ સરકારી નોકરીઓ ઓફર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અઢી વર્ષના સમયગાળામાં, 86,000 નોકરીઓ પહેલેથી જ પ્રદાન કરવામાં આવી છે, અને બાકીની નોકરીઓ આગામી 6 મહિનામાં પૂરી પાડવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 77

    અમિત શાહની 'ભવિષ્યવાણી'.. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન, ભાજપ કેટલી બેઠકો જીતશે તે પણ કહ્યું

    તમને જણાવી દઈએ કે 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની નવી સંસદનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, જેનો શિલાન્યાસ તેમના દ્વારા 10 ડિસેમ્બર 2020ના રોજ કરવામાં આવ્યો હતો. નવી સંસદની લોકસભા ચેમ્બરમાં 888 બેઠકો અને રાજ્યસભા ચેમ્બરમાં 384 બેઠકો હશે.

    MORE
    GALLERIES