

નવી દિલ્હીઃ દેશમાં કોરોના (Corona)ના વધતા કેસોની વચ્ચે કોરોના વાયરસ વેક્સીન (Coronavirus Vaccine)ને લઈને અગત્યની જાણકારી મળી રહી છે. અહેવાલ છે કે ફાઇઝર બાદ હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)એ પણ પોતાની કોવિશીલ્ડ વેક્સીન (Covishield Vaccine)ના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. આ પગલાં સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની સમક્ષ અરજી કરનારી પહેલી સ્વદેશી કંપની બની ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


અહેવાલ છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ મહામારી દરમિયાન ચિકિત્સા આવશ્યક્તાઓ અને વ્યાપક સ્તર પર જનતાના હિતનો હવાલો આપતા DCGIને કોવિશીલ્ડ વેક્સીનને મંજૂરી આપવા માટે અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે આ પહેલા શનિવારે અમેરિકાની દવા નિર્માતા કંપની ફાઇઝરના ભારતીય યૂનિટે કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે અરજી કરી હતી. (પ્રતીકાત્મક તસવીર)


સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ DCGIમાં અરજી દરમિયાન હવાલો આપ્યો છે કે ક્લીનિકલ પરીક્ષણના ચાર ડેટાથી આ જાણકારી મળી છે કે કોવિશીલ્ડ વેક્સીન ગંભીર લક્ષણવાળા કોરોના દર્દીઓની સારવારમાં ઘણી પ્રભાવકારી સાબિત થઇ છે. SIIએ જણાવ્યું કે ચારમાંથી બે પરીક્ષણ ડેટા બ્રિટન જ્યારે એક ભારત અને એક બ્રાઝિલથી સંબંધિત છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલા પહેલા જ કોવિશીલ્ડ વેક્સીનને લઈ મોટો દાવો કરી ચૂક્યા છે. પૂનાવાલાએ કહ્યું છે કે કોરોના વેક્સીન કોવિશીલ્ડ પરીક્ષણમાં 90 ટકા સુધી અસરદાર સાબિત થઈ છે. (પ્રતીકાત્મક તસવીર)