Home » photogallery » national-international » મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે 6500 લોકો, આવી છે તૈયારી

મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે 6500 લોકો, આવી છે તૈયારી

પીએમનો શપથ ગ્રહણ સમારંભ રાષ્ટ્રપતિ ભવનના બહારના પ્રાંગણમાં થશે. મુખ્ય ભવનમાં પ્રવેશ કરવા માટે એક ભવ્ય રસ્તો બનાવવામાં આવશે.

  • 19

    મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે 6500 લોકો, આવી છે તૈયારી

    ન્યૂઝ18 ગુજરાતી : નરેન્દ્ર મોદી 30મી મેના રોજ વડાપ્રધાન પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર આ સમારંભમાં 6500 જેટલા મહેમાનો હાજર રહેવાની આશા છે. જે લોકો સમારંભમાં હાજર રહેશે તેમાં દેશ-વિદેશની હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. વિપક્ષના મોટા નેતા, તમામ રાજ્યના મુખ્યમંત્રી, તમામ રાજ્યના રાજ્યપાલો અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ તેમજ સાંસદો સહિતના લોકો આ સમારંભમાં હાજર રહેશે. પૂર્વ વડાપ્રધાનો તેમજ પૂર્વ રાષ્ટ્રપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 29

    મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે 6500 લોકો, આવી છે તૈયારી

    બીજેપીની પ્રચંડ જીત બાદ આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય હશે તેવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે. જોકે, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તરફથી આ કાર્યક્રમને ખૂબ જ સામાન્ય રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 39

    મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે 6500 લોકો, આવી છે તૈયારી

    વિદેશમાંથી આવી રહેલા મહેમાનોમાં BIMSTEC (Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation)ના પ્રમુખોને આમંત્રિત કરવામાં આવ્યા છે, અમુક દેશમાંથી મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારંભ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં થશે.

    MORE
    GALLERIES

  • 49

    મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે 6500 લોકો, આવી છે તૈયારી

    2014માં જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા હતા ત્યારે તેમની સાથે 24 કેબિનેટ મંત્રી અને 21 રાજ્ય મંત્રીએ પણ હતા. આ વખતે આશરે સાડા ત્રણ હજાર મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં સાર્ક દેશોના પ્રમુખ (પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન અને માલદિવ) સામેલ હતા.

    MORE
    GALLERIES

  • 59

    મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે 6500 લોકો, આવી છે તૈયારી

    આ વખતે પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે અલગ અલગ ક્ષેત્રના લોકો સામેલ થશે. કાર્યક્રમ માટે છ ફૂટ ઊંચું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમની જવાબદારી સંસદીય કાર્ય મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલય સાથે જોડાયેલા લોકોને સોંપવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 69

    મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે 6500 લોકો, આવી છે તૈયારી

    સાંજે સાત વાગ્યે આ કાર્યક્રમ શરૂ થશે. કાર્યક્રમ પૂરો થયા બાદ આશરે 600 લોકોને રાષ્ટ્રપતિ ભવનમાં 'હાઇ ટી' માટે આમંત્રિત કરવામાં આવશે. અન્ય લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા બહારના પ્રાંગણમાં કરવામાં આવશે. હાઇ ટીમાં રાજભોગ અને સમોસા સહિતના વ્યંજનો હશે. જે બાદમાં ડીનસમાં શાકાહરી અને માંસાહરી પકવાન પીરસવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 79

    મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે 6500 લોકો, આવી છે તૈયારી

    ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર પ્રમાણે આવું ચોથી વખત બની રહ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન કોઈ હોલના બદલે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ લેશે. આ પહેલા અટલ બિહારી વાજપેયી અને ચંદ્રશેખરે આ રીતે શપથ લીધા હતા. ગત વખતે પીએમ મોદીએ પણ આ રીતે શપથ લીધા હતા.

    MORE
    GALLERIES

  • 89

    મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે 6500 લોકો, આવી છે તૈયારી

    ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર પ્રમાણે ભારતના પૂર્વના દેશોમાંથી આવી રહેલા રાષ્ટ્રાધ્યક્ષોના ખાવા-પીવાને લઈને ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. કારણ કે તેમનું ભોજન વધારે ભારે નથી હોતું. ખાસ પકવાનોમાં દાલ રાયસીના પણ હશે, જેને પકવવા માટે 48 કલાકનો સમય લાગે છે.

    MORE
    GALLERIES

  • 99

    મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે 6500 લોકો, આવી છે તૈયારી

    ગત વખતે એટલે કે 2014માં શપથ ગ્રહણ સમારંભનો સમય સાંજે ચાર વાગ્યે હતો. આ વખતે સાંજે છે વાગ્યે કાર્યક્રમ શરૂ થશે.

    MORE
    GALLERIES