

નવી દિલ્હીઃ કોરોના (Coronavirus) સામે જંગ જીતવા માટે દેશમાં વેક્સીનેશન અભિયાન (Vaccine Campaign)ની શરૂઆત થઈ ગઈ છે. કોરોના વેક્સીન (Covid Vaccine)ના પહેલા ચરણમાં 3 કરોડ કોરોના વોરિયર્સ (Corona Warriors)ને સૌથી પહેલા વેક્સીન આપવામાં આવી રહી છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલા આ અભિયાનની વચ્ચે થોડી ચિંતા વધારનારા અહેવાલો સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના વેક્સીન લીધા બાદ અત્યાર સુધી કુલ 447 લોકો પર પ્રતિકૂળ પ્રભાવ જોવા મળ્યો છે. તેમાંથી ત્રણ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, કોરોના વેક્સીન લીધા બાદ અનેક લોકોમાં વેક્સીનનો પ્રતિકૂળ પ્રભાવ જોવા મળી રહ્યો છે. દિલ્હીના 52 હેલ્થ વર્કર્સને વેક્સીન આપ્યા બાદ તકલીયનો સામનો કરવો પડ્યો છે. વેક્સીન લેનારા હેલ્થ વર્કર્સમાં કોઈને એલર્જીની ફરિયાદ થઈ તો કેટલાક લોકોએ જણાવ્યું કે વેક્સીન લીધા બાદ તેમને ગભરામણ થવા લાગી. દિલ્હીમાં જે 52 હેલ્થ વર્કર્સને વેક્સીન આપ્યા બાદ તકલીફ થઈ છે તેમાંથી એક વર્કરને AEFI સેન્ટરમાં દાખલ કરવા પડ્યા. નોંધનીય છે કે, દેશમાં અત્યાર સુધી 2,24,301 લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. (પ્રતીકાત્મક તસવીર)


દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, 16 જાન્યુઆરીએ કોરોના વેક્સીન આપ્યા બાદ 51 હેલ્થ વર્કર્સમાં સામાન્ય તકલીફ જોવા મળી જ્યારે એક કેસ થોડો ગંભીર જોવા મળ્યો. જે હેલ્થ વર્કરને દાખલ કરવામાં આવ્યા છે, તેમની ઉંમર 22 વર્ષ છે અને તેઓ સિક્યુરિટીમાં કામ કરે છે. (પ્રતીકાત્મક તસવીર)


આ વ્યક્તિને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકી 51ને થોડી વારના નિરીક્ષણ બાદ રજા આપી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે, સરકારે દરેક સેન્ટર પર AEFI કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં વેક્સીન લીધા બાદ આડઅસર જોવા મળતાં ચેકઅપની સુવિધા મળે છે. (પ્રતીકાત્મક તસવીર)


ઉલ્લેખનીય છે કે, ભારતમાં શનિવારે કોવિડ-19 મહામારીની વિરુદ્ધ દુનિયાની સૌથી મોટા વેક્સીનેશન અભિયાનની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે બે વેક્સીન કોવીશિલ્ડ અને કોવેક્સીનને મંજૂરી આપી છે. તેને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકે બનાવી છે. વેક્સીનેશનના પહેલા ચરણમાં ત્રણ કરોડ લોકોને પ્રાથમિકતાના આધાર પર વેક્સીન આપવામાં આવશે. (પ્રતીકાત્મક તસવીર)