Home » photogallery » national-international » એર સ્ટ્રાઇકના 43 દિવસ બાદ મીડિયાને બાલાકોટ લઈ ગયું PAK, પત્રકારે જણાવ્યો આ હાલ

એર સ્ટ્રાઇકના 43 દિવસ બાદ મીડિયાને બાલાકોટ લઈ ગયું PAK, પત્રકારે જણાવ્યો આ હાલ

મદરેસાના બોર્ડ પર મૌલાના યૂસુફ અઝહરનું નામ જોયું તો મેજર જનરલે કોઈ સીધો જવાબ ન આપ્યો

विज्ञापन

  • 110

    એર સ્ટ્રાઇકના 43 દિવસ બાદ મીડિયાને બાલાકોટ લઈ ગયું PAK, પત્રકારે જણાવ્યો આ હાલ

    પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર ભારતની એરસ્ટ્રાઇકના 43 દિવસ બાદ બુધવારે પાકિસ્તાની સરકાર ઘટનાસ્થળે આંતરરાષ્ટ્રીય મીડિયાના સભ્યો અને વિદેશી ડિપ્લોમેટ્સને લઈને ગઈ. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના 40 જવાન શહીદ થયા બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 210

    એર સ્ટ્રાઇકના 43 દિવસ બાદ મીડિયાને બાલાકોટ લઈ ગયું PAK, પત્રકારે જણાવ્યો આ હાલ

    બીબીસીની હિન્દી વેબસાઇટ પર પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, તેમના સંવાદદાતા પણ મીડિયાકર્મીઓના તે દળમાં સામેલ હતા જેમને એર સ્ટ્રાઇકવાળા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ભારતનો દાવો છે કે તેણે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના બાલાકોટમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હુમલો કરી મોટી સંખ્યામાં આતકવાદી માર્યા હતા.

    MORE
    GALLERIES

  • 310

    એર સ્ટ્રાઇકના 43 દિવસ બાદ મીડિયાને બાલાકોટ લઈ ગયું PAK, પત્રકારે જણાવ્યો આ હાલ

    પાકિસ્તાનનું કહેવું છે કે આ હુમલામાં કેટલા વૃક્ષોને નુકસાન પહોંચવા સિવાય એક માણસને પણ ઈજા થઈ નથી પરંતુ કોઈ માર્યું નથી ગયું. પાકિસ્તાન સરકારે મીડિયાને કહ્યું હતું કે તે તેમને એ સ્થળે લઈ જશે જ્યાં ભારતે એર સ્ટ્રાઇક કરવાનો દાવો કર્યો છે.

    MORE
    GALLERIES

  • 410

    એર સ્ટ્રાઇકના 43 દિવસ બાદ મીડિયાને બાલાકોટ લઈ ગયું PAK, પત્રકારે જણાવ્યો આ હાલ

    જોકે, બાદમાં તેઓ તેનાથી પાછળ હટી ગયા. ઈસ્લામાબાદથી એક હેલિકોપ્ટરથી લઈ જવાયેલા બીબીસી હિન્દીના સંવાદદાતાએ જણાવ્યું કે મનસેરાની પાસેના એક સ્થળે ઉતર્યા. ત્યારબાદ લગભગ દોઢ કલાક સુધી કઠિન પહાડી રસ્તાઓમાં પસાર થયા.

    MORE
    GALLERIES

  • 510

    એર સ્ટ્રાઇકના 43 દિવસ બાદ મીડિયાને બાલાકોટ લઈ ગયું PAK, પત્રકારે જણાવ્યો આ હાલ

    ભારતે જે મદરેસાને નષ્ટ કરવાનો દાવો કર્યો છે, ત્યાં સુધી જવા દરમિયાન મીડિયા ટીમને ત્રણ અલગ-અલય સ્થળો દેખાડવામાં આવ્યા. તેઓએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ અહીં પેલોડ ફેંક્યો હતો.

    MORE
    GALLERIES

  • 610

    એર સ્ટ્રાઇકના 43 દિવસ બાદ મીડિયાને બાલાકોટ લઈ ગયું PAK, પત્રકારે જણાવ્યો આ હાલ

    સંવાદદાતાએ કહ્યું કે ત્યાં માત્ર કેટલાક ખાડા અને કેટલાક મૂળમાંથી ઉખડેલા વૃક્ષો દેખાયા.

    MORE
    GALLERIES

  • 710

    એર સ્ટ્રાઇકના 43 દિવસ બાદ મીડિયાને બાલાકોટ લઈ ગયું PAK, પત્રકારે જણાવ્યો આ હાલ

    તેમણે જણાવ્યું કે સમગ્ર મકાન સહી સલામત છે. તેનો કેટલોક હિસ્સો ઘણો જૂનો લાગ્યો અને તેની પાસે આવેલી મસ્જિદમાં લગભગ 200 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. જ્યારે અધિકારીઓને પૂછવામાં આવ્યું કે આ ટૂરના આયોજનમાં આટલો વિલંબ કેમ થયો તો તેઓએ કહ્યું કે, અસ્થિર હાલાતમાં લોકોને અહીં સુધી લાવવા મુશ્કેલ થઈ ગયું હતું. હવે તેમને લાગે છે કે મીડિયાની ટૂરના આયોજન માટે આ યોગ્ય સમય છે.

    MORE
    GALLERIES

  • 810

    એર સ્ટ્રાઇકના 43 દિવસ બાદ મીડિયાને બાલાકોટ લઈ ગયું PAK, પત્રકારે જણાવ્યો આ હાલ

    સંવાદદાતાએ જણાવ્યું કે આ સ્થળ માણસોની વસતીથી થોડી દૂર હતું. આ વિસ્તારમાં ઘર પણ એક-બીજાથી દૂર હતા. ત્યારબાદ ટીમને તે પહાડી પર લઈ જવામાં આવ્યા જ્યાં મદરેસા સ્થિત છે. બીબીસી સંવાદદાતાએ કહ્યું કે, ભવનને જોવાથી એવું ન લાગ્યું કે આ કોઈ નવું બનાવેલું માળખું છે કે તેણે કોઈ પ્રકારનો હુમલો સહન કર્યો હોય.

    MORE
    GALLERIES

  • 910

    એર સ્ટ્રાઇકના 43 દિવસ બાદ મીડિયાને બાલાકોટ લઈ ગયું PAK, પત્રકારે જણાવ્યો આ હાલ

    તેની સાથે જ તેઓએ એ વાતથી ઇન્કાર કર્યો કે એક સમાચાર એજન્સીની ટીમ અને સ્થાનિક પત્રકારોને આ પરિસરમાં દાખલ થતાં પહેલા રોકવામાં આવ્યા હતા. ISPR DG મેજર જનરલ આસિફ ગફૂરને પૂછવામાં આવ્યું કે સંવાદદાતાઓએ મદરેસાના બોર્ડ પર મૌલાના યૂસુફ અઝહરનું નામ જોયું તો તેઓએ કોઈ સીધો જવાબ ન આપ્યો. તેઓએ એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે.

    MORE
    GALLERIES

  • 1010

    એર સ્ટ્રાઇકના 43 દિવસ બાદ મીડિયાને બાલાકોટ લઈ ગયું PAK, પત્રકારે જણાવ્યો આ હાલ

    એક બોર્ડ પર લખ્યું હતું કે મદરેસા 27 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધી બંધ રહ્યું. એક શિક્ષકે કહ્યું કે ઇમરજન્સી ઉપાય રૂપે આ પગલું ઉઠાવવામાં આવ્યું. જ્યારે મીડિયાકર્મીઓએ સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમને કહેવામાં આવ્યું કે, જલદી કરો...લાંબી વાત ન કરો.

    MORE
    GALLERIES