

નર્મદા ડેમ પાસે કેવડિયા નજીક બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું પ્રધાનમન્ત્રી નરેન્દ્ર મોદીએ લોકર્પણ કાર્ય બાદ હજુ તો એક વર્ષ પણ પૂર્ણ નથી થયું. ત્યારે અહીં આવનાર પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. (દિપક પટેલ, નર્મદા)


હાલમાં 20, 35,779 નોંધાયેલ પ્રવાસીઓ છે. જેને કારણે સરદાર પટેલ એક્તા ટ્રસ્ટને 51,86,60,398 રૂપિયાની આવક થઈ છે.


ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ વધુ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકત લેશે એવી આશા હાલ તો સ્ટૅચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓને લાગી રહી છે.


સરકાર દ્વારા પણ હાલ વધુમાં વધુ પ્રવાસીઓ આવે જે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અનેક પ્રોજેક્ટો બનાવમાં આવી રહ્યાં છે.


જેમાં જોવા જઈએ તો સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન સહિતના પ્રોજેક્ટો બનાવવા આવી રહ્યા છે.