Home » photogallery » mehsana » Mehsana: રાત્રિના સમયે આ સંસ્થાના લોકો ગરીબોના જઠરની આગ ઠારે છે, આવી રીતે કરે છે સેવા

Mehsana: રાત્રિના સમયે આ સંસ્થાના લોકો ગરીબોના જઠરની આગ ઠારે છે, આવી રીતે કરે છે સેવા

મહેસાણાના આ યુવકો છેલ્લા ચાર વર્ષથી ફૂડ ડોનેટ ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે. જેમા તેઓ જરૂરિયાતમંદ લોકોને જમવાનું પહોંચાડે છે.રોજના 100-150 લોકોને મફતમાં ભોજન આપે છે.

विज्ञापन

  • 17

    Mehsana: રાત્રિના સમયે આ સંસ્થાના લોકો ગરીબોના જઠરની આગ ઠારે છે, આવી રીતે કરે છે સેવા

    Rinku Thakor, Mehsana: મહેસાણાના આ યુવકો છેલ્લા ચાર વર્ષ થી ફૂડ ડોનેટ ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે. જેમા તેઓ જરૂરિયાતમંદ લોકોને જમવાનું પહોંચાડે છે.ચાર વર્ષ પહેલા ચાલુ  કરવામાં આવેલું ઓર્ગેનાઇઝેશન રોજના 100-150 લોકોને મફતમાં જમાડે છે.

    MORE
    GALLERIES

  • 27

    Mehsana: રાત્રિના સમયે આ સંસ્થાના લોકો ગરીબોના જઠરની આગ ઠારે છે, આવી રીતે કરે છે સેવા

    મહેસાણાના યુવકો છેલ્લા ચાર વર્ષ થી ફૂડ ડોનેટ ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે. જેમા તેઓ આ સંસ્થાના ચાર સભ્યો જેમાં યુવક -યુવતીઓ સેવા આપે છે તેઓ રોજ રાત્રે જરૂરિયાતમંદ લોકોને જમવાનું પહોંચાડવા માટે 365 દિવસ કામ કરે છે.

    MORE
    GALLERIES

  • 37

    Mehsana: રાત્રિના સમયે આ સંસ્થાના લોકો ગરીબોના જઠરની આગ ઠારે છે, આવી રીતે કરે છે સેવા

    જેઓ મહેસાણાના અંબાજી મંદિર પરા ટાવર પાસે ,મોઢેરા ચોકડી, ગાંધી શોપીંગ સેન્ટર અને તોરણવાળી માતાની પાસે ફૂટપાથ પર સુતા લોકોને જમવાનું ભોજન નું વિતરણ નિયમિત કરે છે અને સાથે સાથે દરરોજ મહેસાણાની અલગ અલગ ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાં જઈને પણ જરૂરિયાતમંદ લોકોને  ભોજનનુ વિતરણ કરે છે.

    MORE
    GALLERIES

  • 47

    Mehsana: રાત્રિના સમયે આ સંસ્થાના લોકો ગરીબોના જઠરની આગ ઠારે છે, આવી રીતે કરે છે સેવા

    વર્ષ દરમિયાન સંસ્થાના દાતાઓ અલગ અલગ દિવસે ભોજનની વ્યવસ્થા કરી આપે છે,જેના થકી નિયમિત 365 દિવસ ગરીબ લોકોને ભોજન પૂરૂ પાડવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 57

    Mehsana: રાત્રિના સમયે આ સંસ્થાના લોકો ગરીબોના જઠરની આગ ઠારે છે, આવી રીતે કરે છે સેવા

    તહેવારો વખતે અલગ થી લોકો ને જમવાનુ આપે છે. જેમ કે આ ઉત્તરાયણમાં યુવાનોએ એવા લોકો જે તહેવારોની મજા નથી માણી શકતા તેવા જેવા કે ફેરિયાઓ, લારી ચલાવતા લોકો, ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં રહેતા લોકોને ચીકી ઉતરાયણ પર્વની ઉજવણીમાં આપ્યું હતું.

    MORE
    GALLERIES

  • 67

    Mehsana: રાત્રિના સમયે આ સંસ્થાના લોકો ગરીબોના જઠરની આગ ઠારે છે, આવી રીતે કરે છે સેવા

    જેથી એ લોકો પણ સામાન્ય લોકોની જેમ જ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી શકે . આ ઉપરાંત દિવાળીના પર્વ દરમિયાન મહેસાણાની દરેક ઝુંપડપટ્ટીમાં જાતે ફરીને જરૂરિયાતવાળા લોકોને શુદ્ધ ઘીનો મોહનથાળ ,ગાંઠીયા, ચવાણુંનું વિતરણ કરવામાંં આપ્યું હતું.દિવાળીના તહેવાર સમયે છુટક ધંધો કરતા લોકોને પણ નવા વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 77

    Mehsana: રાત્રિના સમયે આ સંસ્થાના લોકો ગરીબોના જઠરની આગ ઠારે છે, આવી રીતે કરે છે સેવા

    આ સંસ્થામાં કામ કરતા એક યુવાનનું કહેવું છે કે મહિનામાં બઘા દિવસ રોજ રાત્રે રજા વગર લોકો માટે કામ કરીએ છીએ એ લોકો માટે જમવાનું ભોજનનું વિતરણ કરીએ છીએ અને જે કરીને અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે જરૂરિયાતમંદો ની સેવામાં આવી શકીએ છીએ.અન્ય આગામી સમયમાં પણ તેઓ આ રીતે સેવા કરતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

    MORE
    GALLERIES