Home » photogallery » madhya-gujarat » Vadodara: GOOD NEWS, પાવાગઢ પર્વતની કોતરોમાં 10 રામસેવક “જટાયું”નો વસવાટ, આવી રીતે કરે છે શિકાર

Vadodara: GOOD NEWS, પાવાગઢ પર્વતની કોતરોમાં 10 રામસેવક “જટાયું”નો વસવાટ, આવી રીતે કરે છે શિકાર

કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે. પાવાગઢની પર્વતમાળાની કોતરોમાં બનાવેલા માળાઓમાં ઇંડાનું સેવન કરી કેટલાક બચ્ચાઓને જન્મ આપ્યો છે.અહિં 10 પુખ્ત વયનાં ગીધ વસ્યા છે.

विज्ञापन

  • 17

    Vadodara: GOOD NEWS, પાવાગઢ પર્વતની કોતરોમાં 10 રામસેવક “જટાયું”નો વસવાટ, આવી રીતે કરે છે શિકાર

    Nidhi Dave, Vadodara: મધ્ય ગુજરાતનાં પક્ષી પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે. જોખમમાં આવી ગયેલી પક્ષી જગતની આ જાતએ પાવાગઢની પર્વતમાળાની કોતરોમાં બનાવેલા માળાઓમાં ઇંડાનું સેવન કરી કેટલાક બચ્ચાઓને જન્મ આપ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ અહિં 10 પુખ્ત વયનાં ગીધ વસ્યા છે. ઇન્ડિયન વલ્ચર પ્રકારના આ ગીધ છે.

    MORE
    GALLERIES

  • 27

    Vadodara: GOOD NEWS, પાવાગઢ પર્વતની કોતરોમાં 10 રામસેવક “જટાયું”નો વસવાટ, આવી રીતે કરે છે શિકાર

    પાવાગઢમાં માતાજીનાં ડુંગરાની પાછળની તરફ કોતરોમાં 2 થી 3 માળા, નવલખા કોઠારવાળી કોતરોમાં 6 જેટલી માળા હોવાનો અંદાજ છે. ગીધની સફેદ હગાર ઉપરથી માળા હોવાનો અંદાજ લગાવી શકાય છે. જેમાંથી માતાજીનાં મંદિરવાળી કોતરોમાં આવેલા 1 માળામાં ગીધનું બચ્ચું જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 37

    Vadodara: GOOD NEWS, પાવાગઢ પર્વતની કોતરોમાં 10 રામસેવક “જટાયું”નો વસવાટ, આવી રીતે કરે છે શિકાર

    આ ગીધો સવારના 11 વાગ્યાથી મોડી રાત સુધી ખોરાકની શોધમાં આકાશમાં ચક્કર લગાવતા રહે છે. તે એક હજાર ફૂટ જેટલી ઊંચાઈએ ઊડે છે ત્યાંથી તેની તીક્ષ્ણ નજર મૃત પશુને જોઈને ઝપટ લગાવે છે. વન વિભાગ દ્વારા થયેલી ગણતરી દરમિયાન પણ અહિં ગીધોની આ વસાહત નોંધાઈ છે. પરિક્ષેત્ર વન અધિકારી આર.આર.બારીયા અને વન સહાયક પંકજ ચૌધરી આ વસાહત ઉપર સતત નજર રાખી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 47

    Vadodara: GOOD NEWS, પાવાગઢ પર્વતની કોતરોમાં 10 રામસેવક “જટાયું”નો વસવાટ, આવી રીતે કરે છે શિકાર

    વિશ્વભરમાં ગીધની 23 પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંથી 9 પ્રકારની પ્રજાતિઓ ભારતમાં અને તેમાંથી પણ 7 પ્રકારની પ્રજાતિઓ ગુજરાતમાં જોવા મળે છે. આ 7 પ્રકારમાં વ્હાઇટ રંપ્ડ વલ્ચર, ઇન્ડિયન વલ્ચર, ઈજીપ્શિયન વલ્ચર અને રેડ હેડેડ વલ્ચર સ્થાનિક અને ઈજીપ્શિયન ગ્રીફોન, હિમાલિયન ગ્રીફોન અને સિનેરીયસ વલ્ચર માઈગ્રેટ કરીને અહિં આવે છે. જ્યારે બિયાર્ડેડ વલ્ચર અને સ્લેન્ડર બિલ્ડ વલ્ચર ક્યારેક ક્યારેક ગુજરાતમાં જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 57

    Vadodara: GOOD NEWS, પાવાગઢ પર્વતની કોતરોમાં 10 રામસેવક “જટાયું”નો વસવાટ, આવી રીતે કરે છે શિકાર

    દુધાળા પશુઓને અપાતા કેમિકલ યુક્ત ઈંજેકશનોને કારણે ગીધો ઉપર જોખમ ઊભુ થયુ છે. મૃત્યુ થયા બાદ આવા પશુઓને આરોગવાથી ગીધોનું અસ્તિત્વ જોખમાયુ છે. ખાસ કરીને ગુજરાતમાં ગીધોની વસ્તીમાં 66 ટકાનો ઘટાડો છેલ્લા એક દશકમાં નોંધાયો છે. સફેદ ધાબા વાળા ગીધો સર્વ સામાન્ય છે. ગુજરાતમાં ઇન્ડિયન વલચર પણ બહુધા જોવા મળે છે. તેની પાંખો અઢી ફૂટ સુધી ફેલાઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 67

    Vadodara: GOOD NEWS, પાવાગઢ પર્વતની કોતરોમાં 10 રામસેવક “જટાયું”નો વસવાટ, આવી રીતે કરે છે શિકાર

    બહુધા આ ગીધો માનવ વસ્તીની આસપાસ વસવાટ કરે છે. પુખ્ત વયનું ગીધ 70 થી 85 સે.મી. ઊંચું અને પાંચથી છ કી.ગ્રા.વજન ધરાવતુ હોય છે. માદા કરતા નર ગીધની લંબાઇ વધુ હોય છે. તેઓ 10 થી 12નાં સમૂહમાં વસવાટ કરે છે. વર્ષમાં એક વખત 1 ઈંડું મૂકે છે અને બચ્ચા ઉછેરનો સમયગાળો નવેમ્બરથી માર્ચ સુધીનો હોય છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કોંઝેરવેશન ઓફ નેચર દ્વારા ગીધની આ પ્રજાતિને અતિ જોખમમાં આવી ગયેલા પક્ષીઓની યાદીમાં મૂકવા આવી છે.

    MORE
    GALLERIES

  • 77

    Vadodara: GOOD NEWS, પાવાગઢ પર્વતની કોતરોમાં 10 રામસેવક “જટાયું”નો વસવાટ, આવી રીતે કરે છે શિકાર

    ગીધોનો માનવજાતિ પર મોટો ઉપકાર છે. તેઓ મૃત શરીરને ખાઈ સંપૂર્ણ સાફ કરી નાંખે છે, જેથી સડી રહેલા મૃતદેહમાં જોખમી જીવાણું અને વિષાણુંને વાતાવરણમાં ફેલાવા નથી દેતા. ગીધોનું એક ટોળુ એક મૃત પશુને ૩ થી ૪ મિનિટમાં સફાચટ કરી જાય છે.

    MORE
    GALLERIES