Home » photogallery » madhya-gujarat » ચાંદોદના નર્મદા મૈયાને કિનારે ગંગા દશહરાની દસ દિવસીય ઉજવણી, મુખ્યમંત્રીએ હાજરી આપી

ચાંદોદના નર્મદા મૈયાને કિનારે ગંગા દશહરાની દસ દિવસીય ઉજવણી, મુખ્યમંત્રીએ હાજરી આપી

ગંગા દશહરાના પર્વના પ્રથમ પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી બ્રાહ્મણવૃંદ દ્વારા વેદ-મંત્રોના પઠન સાથે માતા ગંગા-નર્મદાની ભવ્ય અને દિવ્ય આરતી કરી હતી.

  • 17

    ચાંદોદના નર્મદા મૈયાને કિનારે ગંગા દશહરાની દસ દિવસીય ઉજવણી, મુખ્યમંત્રીએ હાજરી આપી

    વડોદરાઃ ચાંદોદ ગામની ગોદમાંથી પસાર થતી અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં ગંગા દશહરા પર્વની ઉજવણીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 27

    ચાંદોદના નર્મદા મૈયાને કિનારે ગંગા દશહરાની દસ દિવસીય ઉજવણી, મુખ્યમંત્રીએ હાજરી આપી

    આજે ગંગા દશહરાના પર્વના પ્રથમ પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી બ્રાહ્મણવૃંદ દ્વારા વેદ-મંત્રોના પઠન સાથે માતા ગંગા-નર્મદાની ભવ્ય અને દિવ્ય આરતી કરી હતી.

    MORE
    GALLERIES

  • 37

    ચાંદોદના નર્મદા મૈયાને કિનારે ગંગા દશહરાની દસ દિવસીય ઉજવણી, મુખ્યમંત્રીએ હાજરી આપી

    વડોદરા જિલ્લાના ડભોઇના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદના પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના કિનારે દસ દિવસીય ગંગા દશહરા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ મહોત્સવમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા અને મલ્હાર રાવ ઘાટે ગંગાજી-નર્મદાજી માતાની દિવ્ય આરતી કરી હતી.

    MORE
    GALLERIES

  • 47

    ચાંદોદના નર્મદા મૈયાને કિનારે ગંગા દશહરાની દસ દિવસીય ઉજવણી, મુખ્યમંત્રીએ હાજરી આપી

    નરેન્દ્રભાઇ મોદીના વડાપ્રધાન પદના સેવાદાયિત્વના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે અને ગંગા દશહરાનું પર્વ એમ બે પ્રસંગોનો સુભગ સમન્વય થયો હતો અને તે નિમિત્તે બ્રાહ્મણવૃંદ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 57

    ચાંદોદના નર્મદા મૈયાને કિનારે ગંગા દશહરાની દસ દિવસીય ઉજવણી, મુખ્યમંત્રીએ હાજરી આપી

    સુપ્રસિધ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું હતું. તેની સ્મૃતિમાં વર્ષોની પરંપરા મુજબ ગંગા દશહરા મહોત્સવ ઉજવાય છે. મહોત્સવની દસ દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી દરમિયાન રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠાં થઇ નર્મદાજીની આરતીનો લાભ લે છે. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે અહીં પૂજા અને મહાઆરતી થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

    MORE
    GALLERIES

  • 67

    ચાંદોદના નર્મદા મૈયાને કિનારે ગંગા દશહરાની દસ દિવસીય ઉજવણી, મુખ્યમંત્રીએ હાજરી આપી

    આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભાવિકોને મુખ્યમંત્રીની સાલસતા અને મૃદુ સ્વભાવનો પરિચય થયો હતો. મહાઆરતી બાદ ઘાટ ચઢતી વેળાએ મુખ્યમંત્રી ઉપસ્થિત ભાવિકોને મળ્યા હતા તેમજ બાળકો સાથે સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 77

    ચાંદોદના નર્મદા મૈયાને કિનારે ગંગા દશહરાની દસ દિવસીય ઉજવણી, મુખ્યમંત્રીએ હાજરી આપી

    આ પાવન અવસરમાં છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ, અગ્રણી સતિષભાઈ નિશાળિયા, કલેકટર ગોર, ડી. ડી. ઓ. સુ મમતા હીરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, પ્રાંત અધિકારી, પદાધિકારીઓ, અગ્રણીઓ, સાધુ-સંતો, ચાંદોદના ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજર રહી આ મહાઆરતીનો લાભ લીધો હતો.

    MORE
    GALLERIES