Home » photogallery » madhya-gujarat » રામનવમીની શોભાયાત્રામાં બે વખત શાંતિ ભંગ કરવાનો પ્રયાસ, મસ્જિદમાંથી પથ્થરો વરસાવ્યાં; જુઓ તસવીરો

રામનવમીની શોભાયાત્રામાં બે વખત શાંતિ ભંગ કરવાનો પ્રયાસ, મસ્જિદમાંથી પથ્થરો વરસાવ્યાં; જુઓ તસવીરો

વડોદરામાં રામનવમીના શુભ અવસરે વિવિધ વિસ્તારમાંથી ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે વિધર્મીઓએ આ શોભાયાત્રા પર બે વિસ્તારમાં પથ્થરમારો કર્યો હતો.

  • 18

    રામનવમીની શોભાયાત્રામાં બે વખત શાંતિ ભંગ કરવાનો પ્રયાસ, મસ્જિદમાંથી પથ્થરો વરસાવ્યાં; જુઓ તસવીરો

    વડોદરામાં રામનવમીની બે શોભાયાત્રા પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી છમકલું કહ્યું હતું. ત્યારે વધુ એકવાર કોમવાદ ફેલાવવાનો અસફળ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 28

    રામનવમીની શોભાયાત્રામાં બે વખત શાંતિ ભંગ કરવાનો પ્રયાસ, મસ્જિદમાંથી પથ્થરો વરસાવ્યાં; જુઓ તસવીરો

    સવારે શોભાયાત્રામાં ભૂતળીઝાંપા વિસ્તારમાં ભગવાન રામની શોભાયાત્રા પહોંચી હતી. ત્યારે પથ્થરમારો કરી છમકલું કર્યું હતું. આ ઉપરાંત અનેક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 38

    રામનવમીની શોભાયાત્રામાં બે વખત શાંતિ ભંગ કરવાનો પ્રયાસ, મસ્જિદમાંથી પથ્થરો વરસાવ્યાં; જુઓ તસવીરો

    જ્યારે સાંજે કુંભારવાડા વિસ્તારમાં પણ મસ્જિદમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અસમાજિક તત્વોના ટોળા રસ્તા પર ઊતરી ભવ્ય શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે સમગ્ર વિસ્તારમાં અરાજકતા જેવો માહોલ ફેલાઈ ગયો હતો.

    MORE
    GALLERIES

  • 48

    રામનવમીની શોભાયાત્રામાં બે વખત શાંતિ ભંગ કરવાનો પ્રયાસ, મસ્જિદમાંથી પથ્થરો વરસાવ્યાં; જુઓ તસવીરો

    આ પથ્થરમારાની ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરા પોલીસ કમિશનર પણ મેદાનમાં ઉતર્યા છે.

    MORE
    GALLERIES

  • 58

    રામનવમીની શોભાયાત્રામાં બે વખત શાંતિ ભંગ કરવાનો પ્રયાસ, મસ્જિદમાંથી પથ્થરો વરસાવ્યાં; જુઓ તસવીરો

    ઉલ્લેખનીય છે કે, બંને ઘટનામાં કોમી શાંતિ તોડવાનો ભંગ દેખાઈ રહ્યો છે. સવારની ઘટના અને સાંજની ઘટનામાં અસામાજિક તત્વોએ શોભાયાત્રામાં જતા રામભક્તો પર પથ્થરમારો કરી ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 68

    રામનવમીની શોભાયાત્રામાં બે વખત શાંતિ ભંગ કરવાનો પ્રયાસ, મસ્જિદમાંથી પથ્થરો વરસાવ્યાં; જુઓ તસવીરો

    વડોદરામાં હાલ ખૂબ જ સંવેદનશીલ પરિસ્થિતિ છે. ત્યારે તમામ સંવેદનશીલ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલ આ મામલે બે આરોપીની ઘરપકડ કરી લેવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 78

    રામનવમીની શોભાયાત્રામાં બે વખત શાંતિ ભંગ કરવાનો પ્રયાસ, મસ્જિદમાંથી પથ્થરો વરસાવ્યાં; જુઓ તસવીરો

    વડોદરા શહેરના અન્ય એક વિસ્તાર યાકુતપુરા વિસ્તારમાં માહોલ તંગ છે. ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલા સહિત કમિશનર પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે બનતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 88

    રામનવમીની શોભાયાત્રામાં બે વખત શાંતિ ભંગ કરવાનો પ્રયાસ, મસ્જિદમાંથી પથ્થરો વરસાવ્યાં; જુઓ તસવીરો

    સવારની શોભાયત્રામાં ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે અસામાજિક તત્વોના જૂથે પથ્થરમારો કર્યો હતો. ત્યારે રામજીની મૂર્તિ પર પથ્થર વાગતા મૂર્તિ ખંડિત થઈ હતી. આ ઉપરાંત અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાને લઈને ડીજીપીએ બેઠક યોજી હતી. ત્યારે નરસિમ્હા કોમર સહિત અધિકારીઓ જોડાયા હતા. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં જોડાયા હતા. ત્રિનેત્ર સેન્ટરમાં બેઠક યોજવામાં આવી છે. ત્યારે સીસીટીવીને આધારે કાર્યવાહી કરવામાં આવશે.

    MORE
    GALLERIES