વડોદરા : પાખંડી તાંત્રિકની દુષ્કર્મ કેસમાં ધરપકડ, 'દિશા પ્રશાંતની એટલી ખાસ હતી કે તેની સંમતિ વગર કઈ થતું નહોતું'
બગલામુખી મંદિરના પાખંડી ગુરૂ પ્રશાંત સેવિકાનું શિયલ લૂંટતા પોલીસ ફરિયાદ થઈ હતી. આ મામલે પાખંડીની સેવિકાઓ જ મદદગાર નીકળી, વડોદરા આશ્રમકાંડનો ભાંડા ફોડ


ફરિદ ખાન, વડોદરા : વડોદરાના પાખંડી ધર્મગુરુ (Baglamukhi Tantrik Prashant Upadhyay) કહેવાતા બગલામુખી તાંત્રિક તરીકે જાણીતા પ્રશાંત ઉપાધ્યાયની સામે સેવિકાએ (Rape case) દુષ્કર્મની ફરિયાદ કરી છે. પ્રશાંત છેતરપિંડીના કેસમાં પહેલાંથી જ જેલમાં બંધ હતો. ત્યારે તેની સામે એક પીડિતાએ વડોદરા શહેરના ગોત્રી પોલીસ (Gotri Police Vadodara) મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આજે જેલમાંથી પ્રશાંતની કસ્ટડી મેળવી હતી. વડોદરાના એસીપી રાજગોરે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.


આ મામલે અગાઉ પોલીસે પ્રશાંતની સાગરિત અને સેવિકા દિશા જોનની (Disha Jon) ધરપકડ કરી હતી. પોલીસને દિશાની પૂછપરછમાં ચોંકાવનારી બાબતો જાણવા મળી હતી. આજે એસીપી રાજગોરે જણાવ્યું હતું કે 'દિશા પ્રશાંતની ખાસમ ખાસ હતી, એની સંમતિ વગર કોઈ કઈ કરી શકતું નહોતું. રિમાન્ડ દરમિયાન એવું જાણવા મળ્યું કે પ્રશાંતની દરેક કાર્યવાહી કે સેવિકાઓનો વ્યવહાર સાચવતી હતી.”


વડોદરા: વડોદરાના તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયે (Prashant Upadhyay) એક કિશોરી પર દુષ્કર્મ આચર્યું હોવા મામલે દરરોજ અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે પોલીસે પ્રશાંતની શિષ્યા (Prashant Upadhyay Disciple Disha)ની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન શિષ્યા દિશા ઉર્ફે જોન સચદેવે એવી કબૂલાત કરી છે કે તેણે પીડિતાને પ્રશાંત ઉપાધ્યાયના રૂમમાં મોકલતી હતી. ધરપકડ બાદ પોલીસે (Gotri Police Station) દિશાનો મોબાઇલ ફોન પણ કબજે લીધો છે. હવે આ મામલે દુષ્કર્મના આરોપી પ્રશાંત ઉપાધ્યાયની જેલમાંથી ટ્રાન્સફર વૉરંટના આધારે ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ દિશાના કસ્ટડી રિમાન્ડ પૂરા થતાં તેણીને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રશાંત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. જે સમયે દુષ્કર્મ થયું હતું ત્યારે પીડિતા સગીર વયની હોવાથી પોલીસે પોક્સોની કલમ પણ લગાવી છે.


એસીપી રાજગોરે ઉમેર્યુ કે 'દિશાની ધરપકડ પહેલાં તેણે પોતાનાં મોબાઇલનો તમામ ડેટા ડિલીટ કરી દીધી છે. દિશા એટલી હોંશિયાર હતી કે તેણે આ મામલે પોલીસને એવું કહ્યું કે મારી સાથે પણ આવું થયું છે.”


આ ગુનામાં દિક્ષા અને ઉન્નતિની ધરપકડ કરવાની બાકી છે. હાલમાં આ બંને ક્યાં છે તેની વિગતો મેળવી અને તેને પકડવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. અમે એવું સાંભળ્યું છે તે ઇન્ડિયામાંથી પરંતુ અમે તપાસ કરી રહ્યા છે. આ કેસમાં જે રોલ દિશા જોનનો છે તેવો જ રોલ દિક્ષા અન ઉન્નતિની પણ હતી.