Home » photogallery » madhya-gujarat » Vadodara: જા..જા..જા..કબૂતર જા..દોરીથી ઘાયલ પક્ષીઓને આઝાદ કરાયા, જોવા જેવા છે ફોટો

Vadodara: જા..જા..જા..કબૂતર જા..દોરીથી ઘાયલ પક્ષીઓને આઝાદ કરાયા, જોવા જેવા છે ફોટો

વડોદરમાં ઉત્તરાયણનાં દિવસે 1162 પક્ષી ખરાબ રીતે ઘાયલ થયા હતાં. જેમાંથી 201 પક્ષી સારવાર હેઠળ છે. ઘાયલ પક્ષીમાં 90 ટકા કબૂતર છે. વન વિભાગે આજે સાજા થયેલા કબૂતરને મુક્ત કર્યાં હતાં.

विज्ञापन

  • 16

    Vadodara: જા..જા..જા..કબૂતર જા..દોરીથી ઘાયલ પક્ષીઓને આઝાદ કરાયા, જોવા જેવા છે ફોટો

    Nidhi Dave, Vadodara: વડોદરાના વનવિભાગમાં આ વર્ષની ઉત્તરાયણ વખતે પતંગની દોરીમાં ફસાઈને ઘાયલ થયેલા અનેક કબૂતરો સારવાર હેઠળ હતા. જેમાં વનવિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓના સહયોગ અને કાળજીથી દરેક કબૂતર સાજા થઈને હવે ખુલ્લા આકાશમાં વિહરવા તૈયાર હતા.

    MORE
    GALLERIES

  • 26

    Vadodara: જા..જા..જા..કબૂતર જા..દોરીથી ઘાયલ પક્ષીઓને આઝાદ કરાયા, જોવા જેવા છે ફોટો

    માંજલપુર સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલના બાળકોએ વનવિભાગની મુલાકાત લીધી હતી. જ્યાં વનવિભાગના અધિકારીઓ દ્વારા તેમને વન વિભાગની કામગીરી અંગેની વિસ્તૃત જાણકારી સાથે સમજ આપવામાં આવી હતી. આર. એફ. ઓ. કરણસિંહ રાજપૂતે જણાવ્યું કે, સામાન્ય નાગરિકોએ પોતાની ફરજ માનીને અને માનવતા ખાતર ઘાયલ થયેલા પશુ-પક્ષીઓની જાણકારી તરત જ અમારા ટોલ ફ્રી નંબર પર કરવી જોઈએ, જેથી કરીને અમારી રેસ્ક્યુ ટીમ જે તે સ્થળે પહોંચી શકે. અમારી રેસ્ક્યુ ટીમ 24 કલાક કાર્યરત છે.

    MORE
    GALLERIES

  • 36

    Vadodara: જા..જા..જા..કબૂતર જા..દોરીથી ઘાયલ પક્ષીઓને આઝાદ કરાયા, જોવા જેવા છે ફોટો

    બાલ ભવન પાસે સામાજિક વનીકરણ હોસ્પિટલમાં આપવામાં આવેલી સારવારથી લગભગ 20 જેટલાં કબૂતરોને સંપૂર્ણ સાજા થયા બાદ છોડવામાં આવ્યા હતા. ઉત્તરાયણના તહેવાર દરમિયાન પક્ષીઓના રક્ષણ માટે સક્રિય પગલાં લેવા વિદ્યાર્થીઓ સાથે જાગૃત થવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 46

    Vadodara: જા..જા..જા..કબૂતર જા..દોરીથી ઘાયલ પક્ષીઓને આઝાદ કરાયા, જોવા જેવા છે ફોટો

    રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, \"આ વર્ષે ઉત્તરાયણના તહેવારમાં 1162 પક્ષીઓ ખરાબ રીતે ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઘાયલ પક્ષીઓની યાદીમાં 90% પક્ષીઓ કબૂતરો છે. તબીબોની ટીમે ફોરેસ્ટ વિભાગની અંદરની હોસ્પિટલમાં સારવાર કરી હતી.

    MORE
    GALLERIES

  • 56

    Vadodara: જા..જા..જા..કબૂતર જા..દોરીથી ઘાયલ પક્ષીઓને આઝાદ કરાયા, જોવા જેવા છે ફોટો

    કરુણા અભિયાનમાં આ વર્ષે લગભગ 700 સ્વયંસેવકો જોડાયા હતા. તેમના પ્રયાસોથી આ સારવાર શક્ય બની છે. અમે વિદ્યાર્થીઓને સાજા કબૂતરોને છોડવા માટે આમંત્રિત કર્યા છે, જેથી કરીને તેઓ પક્ષીઓને બચાવવા માટે આવતા વર્ષે સક્રિય પગલાં ભરવા માટે સંવેદનશીલ બની શકે.

    MORE
    GALLERIES

  • 66

    Vadodara: જા..જા..જા..કબૂતર જા..દોરીથી ઘાયલ પક્ષીઓને આઝાદ કરાયા, જોવા જેવા છે ફોટો

    ઘાયલ થયેલા 1162 પક્ષીઓમાંથી 201 હજુ સારવાર હેઠળ છે અને બાકીનાને તેમના કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યા છે. હાજર રહેલ દરેક વિદ્યાર્થીઓએ પ્રાણીઓને બચાવવા, વૃક્ષો વાવવા અને પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી.

    MORE
    GALLERIES