Nidhi dave, Vadodara: શહેરના જેતલપુર વિસ્તારમાં (Jetalpur area) આવેલી પી.એન. ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી (P.N.Gadgil and sons art gallery) ખાતે કલરફૂલ લાઈફ થીમ (Colorful Life theme) પર પ્રદર્શનનું (Art Exhibition) આયોજન કરવામાં આવ્યું છે. પિનલ પંચાલ, જેઓ હાલમાં ખાનગી કંપનીમાં સિનિયર ગ્રાફિક ડિઝાઇનર (Graphic Designer) તરીકે ફરજ બજાવી રહ્યા છે. તદુપરાંત તેઓ એક ખૂબ સારા કલાકાર પણ છે. પ્રદર્શનમાં પીનલ પંચાલ દ્વારા બનાવવામાં આવેલી 24 કૃતિઓને પ્રદર્શિત કરવામાં આવી છે.
કલાકાર પીનલ પંચાલય જણાવ્યું કે,તેઓ એ ખાસરાજસ્થાન અને કચ્છના કલ્ચર પર મોઝેઈક પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. તદુપરાંત ધાર્મિક લોક ચિત્રકલા અને ગણપતિના ચિત્ર પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ તમામ ચિત્રોને કેનવાસ પર કંડારવામાં આવ્યા છે તથા એક્રેલિક અને ઓઈલ કલરના ઉપયોગથી ડિટેલિંગ વાળા આર્ટવર્ક 3 મહિનાની મહેનતના અંતે તૈયાર કર્યા છે.
પિનલ પંચાલએ અત્યાર સુધીમાં 35 થી વધારે ગ્રૂપ શો નેપાળ, પોંડીચેરી, મુંબઈ, હૈદરાબાદ, ઉદયપુર, કારગીલ અને બેંગ્લોર સહિતની જગ્યાએ કર્યા છે. આ સાથે 4 સોલો શો પણ કર્યા છે. વર્ષ 2005 માં વડોદરામાં તેઓએ પહેલો સોલો શો કર્યો હતો અને વર્ષ 2022 માં 17 વર્ષ પછી બીજો સોલો શો કરી રહ્યાછે. તથા લગભગ 12 થી 15 નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર કેમ્પ પણ કરેલા છે.
પિનલ પંચાલ છેલ્લા 24 વર્ષથી કલા સાથે સંકળાયેલ છે. તેઓ નોકરી અને કલાને એક સમાન રાખીને કાર્ય કરી રહ્યા છે. પિનલબેને વધુમાં જણાવ્યું કે, તેઓ એમના પિતાના આર્ટથી પ્રભાવિત થયા હતા. એમના પિતા એન્જિન હોવા છતાં પણ ખૂબ જ સરસ સ્કેચ કરતા હતા. પિતાજીના સ્કેચથી પ્રભાવિત થઈને પિનલ પંચાલે પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું.