Home » photogallery » madhya-gujarat » Vadodara: નેતાજી સુભાષચંદ્ર બોઝને 125મી જન્મ જયંતિની અનોખી શ્રદ્ધાંજલિ; ઐતિહાસિક તસ્વિરો રજૂ

Vadodara: નેતાજી સુભાષચંદ્ર બોઝને 125મી જન્મ જયંતિની અનોખી શ્રદ્ધાંજલિ; ઐતિહાસિક તસ્વિરો રજૂ

નેતાજી સુભાષચંદ્ર બોઝને વડોદરામાં કલાત્મક શ્રદ્ધાંજલિ આપવા માટે તારીખ 3,4 જાન્યુઆરીના પોટ્રેટસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન સવારના 11 થી સાંજના 7 કલાક સુધી નિહાળી શકે છે.

विज्ञापन

  • 15

    Vadodara: નેતાજી સુભાષચંદ્ર બોઝને 125મી જન્મ જયંતિની અનોખી શ્રદ્ધાંજલિ; ઐતિહાસિક તસ્વિરો રજૂ

    Nidhi Dave, Vadodara: નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 1897માં 23 જાન્યુઆરીના રોજ થયો હતો. તેમની જન્મ જયંતિને દેશમાં પરાક્રમ દિવસ તરીકે મનાવાય છે. ત્યારે તેમની 125 મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરુપે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ્ સ્થિત શ્રી પ્રકાશ વિદ્યાનિકેતન રેસિડેન્શિયલ સ્કૂલના ધોરણ 6 થી 12 ના 74 વિદ્યાર્થીઓ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના બાળપણથી લઈને આઝાદીની લડતના વિવિધ પ્રસંગોને 125 પોટ્રેટસના માધ્યમથી પ્રસ્તુત કરાયાં છે.

    MORE
    GALLERIES

  • 25

    Vadodara: નેતાજી સુભાષચંદ્ર બોઝને 125મી જન્મ જયંતિની અનોખી શ્રદ્ધાંજલિ; ઐતિહાસિક તસ્વિરો રજૂ

    જેને એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના એક્ઝિબિશન હોલ ખાતે બે દિવસ માટે પ્રદર્શનાર્થે મૂકાયાં છે. આ પ્રદર્શન તારીખ 3, 4 જાન્યુઆરીના સવારના 11 થી સાંજના 7 કલાક સુધી નિહાળી શકે છે.

    MORE
    GALLERIES

  • 35

    Vadodara: નેતાજી સુભાષચંદ્ર બોઝને 125મી જન્મ જયંતિની અનોખી શ્રદ્ધાંજલિ; ઐતિહાસિક તસ્વિરો રજૂ

    સંસ્થાના પ્રેસિડેન્ટ સી. એચ. વાસુ પ્રકાશે જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારત ચળવળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું અમૂલ્ય યોગદાન અને બલિદાન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાદાયી રહેશે. તેમને કલાત્મક શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી આ પોટ્રેટસ પ્રદર્શનાર્થે મૂકાયાં છે.

    MORE
    GALLERIES

  • 45

    Vadodara: નેતાજી સુભાષચંદ્ર બોઝને 125મી જન્મ જયંતિની અનોખી શ્રદ્ધાંજલિ; ઐતિહાસિક તસ્વિરો રજૂ

    સ્વતંત્ર ભારતના વિચાર પ્રત્યેની તેમની અસાધારણ પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે આઝાદ હિંદ ફોજ દ્વારા નેતાજી દ્વારા લેવામાં આવેલા સાહસિક પગલાં,રાષ્ટ્ર પ્રત્યેનો તેમનો આદર્શ અને બલિદાન હંમેશા ભારતીયોને પ્રેરણા આપતો રહેશે.

    MORE
    GALLERIES

  • 55

    Vadodara: નેતાજી સુભાષચંદ્ર બોઝને 125મી જન્મ જયંતિની અનોખી શ્રદ્ધાંજલિ; ઐતિહાસિક તસ્વિરો રજૂ

    શ્રી પ્રકાશ વિદ્યાનિકેતનના વિધાર્થીઓએ અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપતા 125 પોટ્રેટસ 6 મહિનામાં બનાવીને તેમના જીવનની કેટલીક ઝલક રજૂ કરી છે. આ યુવા કલાકારોએ ચારકોલ, પીપળાના પાંદડા પર એક્રેલિક પેઇન્ટ, વોટરકલર, પિરોગ્રાફી, કોલાજ,એચિંગ (સોફ્ટ ગ્રાઉન્ડ) સહિતના વિવિધ માધ્યમો દ્વારા ચિત્રો 6 મહિનાની મહેનતબાદ બનાવ્યા છે. કલાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વડોદરા શહેરને કલાનગરી તરીકે ઓળખાય છે. અહીં તમામ વસ્તુઓને કલાના માધ્યમ દ્વારા જ પ્રદર્શિત કરવામાં આવે છે.

    MORE
    GALLERIES