વિદેશ જવા માટે વિધાર્થીઓને ખાસ સ્કોલરશીપ આપવામાં આવતી. તે સમયે વિધાર્થીઓ દ્વારા સ્કોલરશીપ માંથી બચાવેલા પૈસાના માધ્યમથી જસ્ટિસ ટાવર 1894માં બનાવવમાં આવ્યો. આ જસ્ટિસ ટાવર હાલમાં સયાજીગંજ, મદદનીશ પોલીસ કચેરી પાસે સ્થિત છે. આ ટાવરની સામે દાદાભાઈ નવરોજીની પ્રતિમા સ્થાપિત છે. આ પ્રતિમા શ્રી પીરોજશા પેસ્તનજી કોન્ટ્રાક્ટર તરફથી છે.
1871 થી 1875ના સમયગાળામાં દાદાભાઈ નવરોજી વડોદરાના દીવાન હતા. 1875ના બળવામાં ભારતના લોકો બ્રિટિશની સામે હારી ગયા અને ગુલામ બનવાનો વખત આવ્યો. આ સમયે 1875માં સયાજીરાવ જોડાયા અને 1881માં સત્તાવાર રીતે મહારાજાનું પદ ધારણ કર્યું. ત્યારે તેઓ ફક્ત 18 વર્ષના જ હતા.<br />1888માં મુંબઈ શહેરમાં રાજાઓનો દરબાર ભરાયો હતો. તે દરમિયાન દાદા નવરોજી દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ દરબારમાં સર સયાજીરાવ પણ હાજર હતા અને તેમની જોડે પ્રિન્સ આગાખાન, જેઓ ખોજ કંપનીના વડા પણ ઉપસ્થિત હતા. પ્રિન્સ આગાખાને સયાજીરાવને પૂછ્યું હતું કે, તમારો શું વિચાર છે? તે સમયે સર સયાજીરાવે જવાબ આપતા જણાવ્યું હતું કે, \"નાનકડા દેશનો રાજા બનવા કરતા અખંડ ભારતનો નાગરિક બનીને રહેવાનું પસંદ કરીશ\".
1890માં લોકમાન્ય તિલક અને ન્યાયમૂર્તિ રાંદે એ સયાજીરાવને એવું કહ્યું હતું કે, રાજા તમે એક કલાભવન શરૂ કરો. એમાં તકનિકી વસ્તુઓ શીખવાડવામાં આવશે. બંદૂક, બૉમ્બ કઈ રીતે બનાવવા. આ હથિયારો જયારે યુદ્ધ થશે ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને આપી શકાશે. 1890માં દરમિયાન લોકમાન્ય ટિળકે સર સયાજીરાવને કહ્યું હતું કે, વડોદરાનો એવો વિકાસ કરો કે ભવિષ્યમાં કેવું હોવું જોઈએ, એની પ્રયોગશાળા બનાવો. જેથી કરીને ભવિષ્યમાં ભારતનું નવનિર્માણ કારી શકાય. એ સમયે વડોદરા એક રાજ્ય હતું.
1926માં કીર્તિ મંદિર બનાવવાનું શરૂ થયું હતું. 1993માં કીર્તિ મંદિરની ટોચ ઉપર આખંડ ભારતનો નકશો લગાડવામાં આવ્યો. તે સમયે બ્રિટિશોએ વિરોધ પ્રદર્શિત કરેલો. પરંતુ સર સયાજીરાવ અડીખમ રહ્યા અને અખંડ ભારતનો વિચાર પણ સર સયાજીરાવનો જ હતો. 1936માં સર સયાજીરાવના 60 વર્ષ પુરા થયાના માનમાં ડાયમંડ જયુબેલીની ઉજવણી પણ કરવામાં આવી હતી. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે 64 વર્ષ રાજ કર્યું. અખંડ ભારતના નકશામાં ભારત, શ્રીલંકા, બર્મા, અફઘાનિસ્તાન, ઈરાક, તિબ્બત, નેપાળ, ભૂતાન અને બાલીનો સમાવેશ હતો. યુદ્ધ પછી 29 દેશોના ભાગલા પડી ગયા.
6 ફેબ્રુઆરી, 1939ના રોજ સર સયાજીરાવ મુંબઈ ખાતે સ્વર્ગવાસ થયા. તે દર્મિયા ગાંધીજી એ પણ શોક સંદેશ લખ્યો હતો કે, \"ભારતને મોટી ખોટ પડી.\" ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ એવું બોલ્યા હતા કે, જો ભારત વહેલા આઝાદ થયું હોત તો \'સયાજીરાવ રાષ્ટ્રપતિ બન્યા હોત\'. (માહિતી આપનાર- ચંદ્રશેખર પાટીલ, આર્ટ કન્ઝર્વેટર - બરોડા હિસ્ટોરિયન.)