Home » photogallery » madhya-gujarat » Photos: આણંદમાં તળાવમાં ખોદકામ સમયે દેખાયું શિવલિંગ, લોકોએ બિલીપત્ર અને અગરબત્તી લઇને કરી પૂજા

Photos: આણંદમાં તળાવમાં ખોદકામ સમયે દેખાયું શિવલિંગ, લોકોએ બિલીપત્ર અને અગરબત્તી લઇને કરી પૂજા

Gujarat Viral news: અભેટપુરા તળાવના ખોદકામ વખતે અનેક લોકોએ આ શિવલિંગ જેવી દેખાતી પ્રતિકૃતિની પૂજા પણ કરી હતી. આ વાત વાયુવેગે ફેલાતા મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

विज्ञापन

  • 16

    Photos: આણંદમાં તળાવમાં ખોદકામ સમયે દેખાયું શિવલિંગ, લોકોએ બિલીપત્ર અને અગરબત્તી લઇને કરી પૂજા

    જનક જાગીરદાર, આણંદ: જિલ્લાના (Anand) બોરસદ તાલુકાના અભેટપુરા તળાવના ખોદકામ વખતે શિવલિંગ (Shivling while Excavation) જેવી પ્રતિમા જોવા મળતા કુતૂહલ સર્જાયું છે. આસપાસના ગ્રામજનો શિવલિંગ જેવી દેખાતી પ્રતિમાના (Gujarat Viral news) દર્શન કરવા દોડી આવ્યા
    હતા. અનેક લોકોએ આ શિવલિંગ જેવી દેખાતી પ્રતિકૃતિની પૂજા પણ કરી હતી. આ વાત વાયુવેગે ફેલાતા મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 26

    Photos: આણંદમાં તળાવમાં ખોદકામ સમયે દેખાયું શિવલિંગ, લોકોએ બિલીપત્ર અને અગરબત્તી લઇને કરી પૂજા

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, બોરસદ તાલુકાના અલારસા તાબે આવેલા અભેપુરા તળાવના ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ સામે આવતાં લોકોએ શિવલિંગ હોવાનું માની રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 36

    Photos: આણંદમાં તળાવમાં ખોદકામ સમયે દેખાયું શિવલિંગ, લોકોએ બિલીપત્ર અને અગરબત્તી લઇને કરી પૂજા

    ખોદકામ દરમિયાન શિવલિંગ હોવાની વાત હવાની જેમ વહેતા ગામ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. ખોદકામમાં શિવલિંગ જેવી પ્રતિમા મળ્યાની વાતને લઈને લોકોએ દર્શન કર્યા હતા. તેમજ લોકો દ્વારા બિલીપત્ર ચઢાવી અગરબત્તી કરી પૂજા પણ કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 46

    Photos: આણંદમાં તળાવમાં ખોદકામ સમયે દેખાયું શિવલિંગ, લોકોએ બિલીપત્ર અને અગરબત્તી લઇને કરી પૂજા

    આ બાબતની જાણ બોરસદ મામલતદારને થતા તેઓ પણ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. આ અંગે મામલતદાર આરતીબેન ગોસ્વામીએ કહ્યું કે, આ પુરાતન વિભાગનો વિષય હોવાથી તેમને આ અંગે જાણ કરવામાં આવશે. તેમજ ગ્રામજનોને તળાવથી દૂર જવાની અપીલ કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 56

    Photos: આણંદમાં તળાવમાં ખોદકામ સમયે દેખાયું શિવલિંગ, લોકોએ બિલીપત્ર અને અગરબત્તી લઇને કરી પૂજા

    સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ સાથે તળાવની ભેખડો ધસી પડવાની સંભાવના કારણે લોકોને દૂર રહેવાનું જણાવ્યું હતુ.

    MORE
    GALLERIES

  • 66

    Photos: આણંદમાં તળાવમાં ખોદકામ સમયે દેખાયું શિવલિંગ, લોકોએ બિલીપત્ર અને અગરબત્તી લઇને કરી પૂજા

    અલારસા તાબે આવેલ અભેટાપુરાના તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે. જેમાંથી નીકળતી માટીને રેલવે કોરીડોરની કામગીરી માટે લઇ જવામાં આવી રહી છે. આ તળાવમાં માટી ખોદકામ દરમિયાન ડાબી બાજુએ એક જુના વૃક્ષના થડીયા જેવો આકાર જોવા મળ્યો હતો. લોકો પહેલાં ઝાડનું થડ સમજી રહ્યાં હતા. બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડતા થડ જેવી દેખાઈ રહેલ કૃતિ પરથી પાણી વહેતા શિવલિંગ જેવી કૃતિ જેવો આકાર જોવા મળ્યો હતો.

    MORE
    GALLERIES