Home » photogallery » madhya-gujarat » મહીસાગરમાં બીજેપી નેતા અને તેમના પત્નીની હત્યા: સરકારે આપ્યો તપાસનો આદેશ, મૃતકનો મોબાઇલ ગુમ

મહીસાગરમાં બીજેપી નેતા અને તેમના પત્નીની હત્યા: સરકારે આપ્યો તપાસનો આદેશ, મૃતકનો મોબાઇલ ગુમ

Mahisagar news: પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તેમનો મોબાઇલ ફોન પોલીસના હાથમાં આવ્યો નથી. મોબાઇલ પર ફોન કરતા રિંગ વાગી રહી છે પરંતુ કોઈ ફોન ઉઠાવી નથી રહ્યું.

  • 17

    મહીસાગરમાં બીજેપી નેતા અને તેમના પત્નીની હત્યા: સરકારે આપ્યો તપાસનો આદેશ, મૃતકનો મોબાઇલ ગુમ

    મહીસાગર: મહીસાગરના લુણાવડાના પાલ્લા ગામ ખાતે બીજેપી નેતા અને તેમના પત્નીની કરવામાં આવેલી હત્યા મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપી દીધા છે. આ કેસમાં મૃતક ત્રીભોવનભાઈ પંચાલનો મોબાઈલ ફોન ગુમ છે. હત્યાનો ગુનો ઉકેલવા તેમજ વિવિધ કડીઓ જોડવા માટે ડૉગ સ્ક્વૉડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. તેમના ઘરની આસપાસ રહેતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તેમનો મોબાઇલ ફોન પોલીસના હાથમાં આવ્યો નથી. મોબાઇલ પર ફોન કરતા રિંગ વાગી રહી છે પરંતુ કોઈ ફોન ઉઠાવી નથી રહ્યું. પોલીસ તરફથી આ મામલે અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 27

    મહીસાગરમાં બીજેપી નેતા અને તેમના પત્નીની હત્યા: સરકારે આપ્યો તપાસનો આદેશ, મૃતકનો મોબાઇલ ગુમ

    આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, "મહીસાગરમાં અજાણ્યા શખ્સોએ પંચાલ પરિવારના બે લોકોની હત્યા કરી નાખી છે. આ મામલે જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે વાતચીત કરીને અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે."

    MORE
    GALLERIES

  • 37

    મહીસાગરમાં બીજેપી નેતા અને તેમના પત્નીની હત્યા: સરકારે આપ્યો તપાસનો આદેશ, મૃતકનો મોબાઇલ ગુમ

    મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ (Tribhovanbhai Panchal) અને તેમના પત્નીની અજાણ્યા લોકોએ ગત મોડી રાત્રે હત્યા કરી નાખી છે. બનાવને પગલે જિલ્લાભરના ભાજપના સભ્યો અને આગેવાનો બનાવ સ્થળે દોડી ગયા છે. બંનેની હત્યા માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 47

    મહીસાગરમાં બીજેપી નેતા અને તેમના પત્નીની હત્યા: સરકારે આપ્યો તપાસનો આદેશ, મૃતકનો મોબાઇલ ગુમ

    ગામના લોકોને દંપતીની હત્યા થયાની જાણ સવારે થઈ હતી. મૃતક ત્રીભોવન પંચાલ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ વર્ષોથી પંચાલ સમાજના પ્રમુખ પદે પણ કાર્યરત હતા.

    MORE
    GALLERIES

  • 57

    મહીસાગરમાં બીજેપી નેતા અને તેમના પત્નીની હત્યા: સરકારે આપ્યો તપાસનો આદેશ, મૃતકનો મોબાઇલ ગુમ

    મળતી માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમના પત્ની જશોદાબેન પંચાલની અજાણ્યા લોકોએ હત્યા કરી નાખી છે. બનાવની જાણ થયા બાદ જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ ઘટના સ્થળે પોહોંચી ગયા છે. આ બનાવ લુણાવડા તાલુકાના પાલ્લા ગામ ખાતે બન્યો છે. બનાવની જાણ થતાં લુણાવાડા પોલીસ અને ધારાસભ્ય જિજ્ઞેશ સેવક પણ પાલ્લા ગામ ખાતે પહોંચ્યા છે. મૃતક ત્રીભોવનભાઈ પંચાલ સમાજ પ્રમુખ હોવાથી મોટી સંખ્યામાં લોકો ગામ ખાતે પહોંચી ગયા છે.

    MORE
    GALLERIES

  • 67

    મહીસાગરમાં બીજેપી નેતા અને તેમના પત્નીની હત્યા: સરકારે આપ્યો તપાસનો આદેશ, મૃતકનો મોબાઇલ ગુમ

    ગામ લોકોનું કહેવું છે કે ત્રીભોવનભાઈ ખૂબ જ શાંત સ્વભાવના હતા. તેઓ બીજેપીના જૂના કાર્યકર છે. તેમનું કોઈ દુશ્મન ન હોઈ શકે. આથી હત્યા શા માટે કરવામાં આવી તે કારણ જાણવું મહત્ત્વનું બની રહેશે. મળતી માહિતી પ્રમાણે ત્રીભોવન પંચાલના ત્રણ દીકરામાંથી એક હાલ કેનેડા ખાતે છે. જ્યારે અન્ય એક દીકરો આણંદ ખાતે ડૉક્ટર છે. જ્યારે ત્રીજા દીકરીનું કોરોનાથી નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.

    MORE
    GALLERIES

  • 77

    મહીસાગરમાં બીજેપી નેતા અને તેમના પત્નીની હત્યા: સરકારે આપ્યો તપાસનો આદેશ, મૃતકનો મોબાઇલ ગુમ

    આ મામલે ડીવાયએસપી એન.વી. પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "હાલ હત્યાનું કારણ જાણી શકાયું નથી. એફએસએલ અને ડૉગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નિપજાવવામાં આવી છે. આજે સવારે બનાવ બન્યો હોવાથી ગામ લોકોને હકીકતની જાણ નથી."

    MORE
    GALLERIES