Kehda ST-Truck Accident: ગુજરાતમાં એસટીની સવારીને સલામત માનવામાં આવે છે. એસ.ટીનો (GSRTC) નારો છે, 'સલામત સવારી, એસટી અમારી' આ નારાને અનુસરતા એસ.ટી બસોમાં અકસ્માત (Accident) ટાળવા માટે બસોની ગતિ મર્યાદા પણ નક્કી કરી દેવાઈ છે. તેમ છતાં વાહન એ અકસ્માતને પાત્ર છે પરંતુ ક્યારેક કોઈ અકસ્માત એવો પણ થાય જેને જોતા જ શબ્દ નીકળી જા કે 'આને કહેવાય ચમત્કાર.' આવો જ એક ચમત્કારીક બચાવ ખેડાના (Kehda) કઠલાલામાં (Kathlal) એસ.ટી બસના 32 મુસાફરોનો (Passengers) થયો છે.
બનાવની વિગતો એવી છે કે આજે ખેડા જિલ્લામાં એક એસટીનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. કઠલાલના (Kathlal Anara ST-Truck Accident) અનારામાં થયેલા અકસ્માતમાં મુસાફરો ભરેલી એસટી અચનાક જ આગળ જઈ રહેલા ટ્રેલરમાં ધડામ કરતી ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
'ઝડપની મજા મોતની સજા' આ કહેવતને એસ.ટી. પણ અનુસરે છે છતાં ક્યાં સંજોગોમાં આ એસટીને અકસ્માત નડી ગયો તો તે ડ્રાઇવરની પૂછપરછમાં જ જાણી શકાશે. ખેર આ અકસ્માતમાં મુસાફરોનો બચાવ થયો છે. એક કહેવત છે 'રામ રાખે એને કોણ ચાખે' બાકી આટલા ગમખ્વાર અક્સ્માતમાં જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યાતઓ હતી પરંતુ સદ્દનસીબે મુસાફરોનાં જીવ બચી ગયાં છે.