Home » photogallery » madhya-gujarat » દાહોદ: વાસવાડા હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, બે લોકોનાં કમકમાટી ભર્યાં મોત

દાહોદ: વાસવાડા હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, બે લોકોનાં કમકમાટી ભર્યાં મોત

Dahod road accident: બંને વાહન વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે અર્ટીગા કારના બોનેટના ફૂરચા નીકળી ગયા હતા. મૃતક યુવક કારમાં જ ફસાયો હતો. ભારે જહેમત બાદ તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

विज्ञापन

  • 17

    દાહોદ: વાસવાડા હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, બે લોકોનાં કમકમાટી ભર્યાં મોત

    ys  દાહોદ: રાજ્યમાં દરરોજ અકસ્માત (Road accident)ના અનેક બનાવો બનતા રહે છે. શુક્રવારે રાત્રે દાહોદ જિલ્લા (Dahod District)માં થયેલા એક અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. આ અકસ્માત ઝાલોદ તાલુકાના વાસવાડા હાઇવે (Vasavada highway) પર બન્યો હતો. અહીં એક અર્ટીગા કાર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ બનાવ ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામ (Anvarpura village) પાસે થયો હતો. બંને વાહનોની સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બે લોકોનાં મૃત્યું થયા છે. મૃતકો ઝાલોદ તાલુકાના વરોડ અને સીંગવડના સુરપુરના રહેવાસી છે.

    MORE
    GALLERIES

  • 27

    દાહોદ: વાસવાડા હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, બે લોકોનાં કમકમાટી ભર્યાં મોત

    બંને વાહન વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે અર્ટીગા કારના બોનેટના ફૂરચા નીકળી ગયા હતા. મૃતક યુવક કારમાં જ ફસાયો હતો. ભારે જહેમત બાદ તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતને ભેટેલી કારનો નંબર GJ20N 9221 હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 37

    દાહોદ: વાસવાડા હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, બે લોકોનાં કમકમાટી ભર્યાં મોત

    શુક્રવારે ત્રણ બસને નડ્યા અકસ્માત: શુક્રવારે રાજ્યમાં ખાનગી લક્ઝરી બસો અને એસ.ટી. બસ (ST bus)ને અકસ્માત નડ્યો હોય તેવા ત્રણ અલગ અલગ બનાવ બન્યા હતા. જેમાં એક બનાવ પાટણ જિલ્લા (Patan district)માં બન્યો હતો. નર્મદા જિલ્લામાં એસ.ટી. બસને અકસ્માત (ST bus accident) નડ્યો હતો, તો અમદાવાદ-મહેસાણા હાઇવે (Ahmedabad-Mehsana highway) પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો.

    MORE
    GALLERIES

  • 47

    દાહોદ: વાસવાડા હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, બે લોકોનાં કમકમાટી ભર્યાં મોત

    અમદાવાદ-મહેસાણા હાઈવે પર થયેલા અકસ્માતમાં 14 લોકોને ઈજા પહોંચી હતી. પાટણ ખાતેના બનાવમાં 25 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નર્મદામાં એસ.ટી. બસને નડેલા અકસ્માતમાં 58 લોકોને ઈજા પહોંચી હતી. સબનસીબે ત્રણેય બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. જોકે, અમુક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

    MORE
    GALLERIES

  • 57

    દાહોદ: વાસવાડા હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, બે લોકોનાં કમકમાટી ભર્યાં મોત

    પાટણમાં લક્ઝરી બસને નડ્યો અકસ્માત: પાટણના સાંતલપુર હાઇવે પર અકસ્માતગ્રસ્ત વાહન સાથે એક બસની ટક્કર થઈ ગઈ હતી. ખાનગી લક્ઝરી બસ મુંદ્રાથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. અકસ્માતમાં 25 લોકોને ઈજા પહોંચી હતી. 25માંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 67

    દાહોદ: વાસવાડા હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, બે લોકોનાં કમકમાટી ભર્યાં મોત

    અંકલેશ્વર જતી એસ.ટી. બસને અકસ્માત: અકસ્માતનો બીજો એક બનાવ નર્મદાના સામરપાડા પાસે બન્યો હતો. જેમાં નર્મદાના બેડવાણથી અંકલેશ્વર જતી બસને અકસ્માત નડ્યો છે. બાઇક ચાલકને બચાવવા જતાં બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બસમાં કુલ 58 લોકો સવાર હતા.

    MORE
    GALLERIES

  • 77

    દાહોદ: વાસવાડા હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, બે લોકોનાં કમકમાટી ભર્યાં મોત

    મહેસાણા-અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસને અકસ્માત: અમદાવાદ-મહેસાણા હાઇવે (Ahmedabad-Mehsana highway) પર એક લક્ઝરી બસને અકસ્માત (Accident) નડ્યો હતો. અકસ્માતમાં 14 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. મળતી માહિતી પ્રામણે ભાસરીયા ચોકડી પાસે આ બનાવ બન્યો હતો. જેમાં એક લક્ઝરી બસ હાઇવે પરના ડિવાઇડર પર ચઢી ગઈ હતી.

    MORE
    GALLERIES