Home » photogallery » madhya-gujarat » દાહોદ કરૂણ ઘટના : સાવકી માતા અને સગા પિતા આપતા હતા ત્રાસ, 19 વર્ષીય પુત્ર કર્યો આપઘાત

દાહોદ કરૂણ ઘટના : સાવકી માતા અને સગા પિતા આપતા હતા ત્રાસ, 19 વર્ષીય પુત્ર કર્યો આપઘાત

પિતાને પ્રેમસંબંધ બંધાયો હતો અને પ્રેમમાં અંધ બનેલા સુબતભાઈ પ્રેમિકાને બીજી પત્ની તરીકે લાવવા અવરણવાર ઝગડા કરી અંતે પોતાની પ્રેમિકાને બીજી પત્ની તરીકે ઘરમાં લઈ આવ્યા

  • 14

    દાહોદ કરૂણ ઘટના : સાવકી માતા અને સગા પિતા આપતા હતા ત્રાસ, 19 વર્ષીય પુત્ર કર્યો આપઘાત

    સાબિર ભાભોર, દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢબારિયાથી એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં એક પુત્રએ સાવકી માતા અને પિતાના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે સાવકી માતા અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

    MORE
    GALLERIES

  • 24

    દાહોદ કરૂણ ઘટના : સાવકી માતા અને સગા પિતા આપતા હતા ત્રાસ, 19 વર્ષીય પુત્ર કર્યો આપઘાત

    દેવગઢબારિયા તાલુકાનાં ઝાપટિયા ખાતે રહેતા સુબતભાઈ રાઠવાના લગ્ન ધાનપુર તાલુકાનાં કાનદારપુરા ખાતે કંપાબેન સાથે થયા હતા અને સુખી સંસાર જીવનમાં તેમને પુત્ર પણ હતો પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ઝાપટિયા ગામની જ  મહિલા સાથે સુબતભાઈની આંખ મળી જતાં બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો અને પ્રેમમાં અંધ બનેલા સુબતભાઈ પ્રેમિકાને બીજી પત્ની તરીકે લાવવા અવરણવાર ઝગડા કરી અંતે પોતાની પ્રેમિકાને બીજી પત્ની તરીકે ઘરમાં લઈ આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 34

    દાહોદ કરૂણ ઘટના : સાવકી માતા અને સગા પિતા આપતા હતા ત્રાસ, 19 વર્ષીય પુત્ર કર્યો આપઘાત

    પ્રેમાંધ બનેલા સુબ્ત્ભાઈ પ્રેમિયક સાથે મળી બંને માતા પુત્રને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હતા, જેને પગલે છેલ્લા 4 મહિનાથી કંપાબેન પોતાના પીયર ચાલ્યા ગયા હતા અને પુત્ર જિતેન્દ્ર ઝાપટીયા ખાતે રહી અભ્યાસ કરતો, સમયાંતરે મામાના ઘરે જઈને માતાને પણ મળતો હતો, પરંતુ જિતેન્દ્રને સાવકી માતા અને સગો પિતા બંને જણા મળી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા રહેતા અને માર મારી તેને ઘર છોડી જતો રહેવા જણાવતા હતા બંનેના ત્રાસથી કંટાળી જિતેન્દ્રએ આજે ઘર નજીક આવેલ કૂવામાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

    MORE
    GALLERIES

  • 44

    દાહોદ કરૂણ ઘટના : સાવકી માતા અને સગા પિતા આપતા હતા ત્રાસ, 19 વર્ષીય પુત્ર કર્યો આપઘાત

    બનાવની જાણ તેની માતાને થતાં તેના પગ નીચે જમીન સરકી ગઈ હતી, તેના આપઘાત પાછળ જવાબદાર તેના પિતા અને સોતનને જવાબદાર ઠેરવી, બંને વિરુધ્ધ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે આત્મહત્યા કરવા માટે દૂષપ્રેરણાનો ગુનો નોધી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

    MORE
    GALLERIES