Home » photogallery » madhya-gujarat » કચરામાં 'સંજીવની'! દાહોદમાં આંગણવાડીના બાળકોને અપાતું દૂધ તળાવમાં ફેંકેલું જોવા મળ્યું

કચરામાં 'સંજીવની'! દાહોદમાં આંગણવાડીના બાળકોને અપાતું દૂધ તળાવમાં ફેંકેલું જોવા મળ્યું

Dahod Doodh Sanjivani: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાટી ગામ ખાતે આ બનાવ સામે આવ્યો છે. અહીં બાળકોને આપવામાં આવતું દૂધ તળાવમાં ફેંકેલું મળી આવ્યું છે.

विज्ञापन

  • 16

    કચરામાં 'સંજીવની'! દાહોદમાં આંગણવાડીના બાળકોને અપાતું દૂધ તળાવમાં ફેંકેલું જોવા મળ્યું

    દાહોદ: દાહોદ જિલ્લાની આંગણવાડી (Dahod anganwadi)માં લોલમલોલ ચાલતું હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં આંગણવાડીમાં આવતા બાળકોના હિસ્સાનું દૂધ (Milk) તળાવમાં ફેંકી દેવામાં આવ્યું હતું. બાળકોને પીવા માટે આપવામાં આવતી દૂધની થેલીઓ તળાવમાં પડી હોવાની તસવીરો સામે આવી છે. આ બનાવ ધ્યાનમાં આવ્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બાળકોના હિસ્સા માટેનું દૂધ શા માટે ફેંકી દેવાયું? દૂધ ફેંકનાર લોકો કોણ? સરકાર કૃપોષિત બાળકો માટે દૂધ આપી રહી છે તો દૂધ બાળકોને આપવાને બદલે તળાવામાં કેમ ફેંકી દેવાયું સહિતના સવાલ આ બનાવ બાદ ઉઠ્યા છે.

    MORE
    GALLERIES

  • 26

    કચરામાં 'સંજીવની'! દાહોદમાં આંગણવાડીના બાળકોને અપાતું દૂધ તળાવમાં ફેંકેલું જોવા મળ્યું

    મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાટી ગામ (Pati village) ખાતે આ બનાવ સામે આવ્યો છે. અહીં બાળકોને આપવામાં આવતું દૂધ તળાવમાં ફેંકેલું મળી આવ્યું છે. અહેવાલ પ્રમાણે દાહોદ જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના હેતુથી 'દૂધ સંજીવની' યોજના હેઠળ આંગણવાડીઓમાં બાળકોને દૂધ આપવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 36

    કચરામાં 'સંજીવની'! દાહોદમાં આંગણવાડીના બાળકોને અપાતું દૂધ તળાવમાં ફેંકેલું જોવા મળ્યું

    જોકે, જે કિસ્સો સામે આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે. દૂધ સંજીવની યોજના હેઠળ બાળકોને દૂધ આપવાને બદલે તળાવમાં ફેંકી દેવામાં આવતા આ મામલે અનેક સવાલ ઉઠ્યા છે. આ સાથે જ દાહોદ જિલ્લા આઇસીડીએસ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.

    MORE
    GALLERIES

  • 46

    કચરામાં 'સંજીવની'! દાહોદમાં આંગણવાડીના બાળકોને અપાતું દૂધ તળાવમાં ફેંકેલું જોવા મળ્યું

    અહીં સૌથી મોટો સવાલ એ ઊઠ્યો છે કે દૂધ સંજીવની યોજના હેઠળ બાળકોના હિસ્સાનું દૂધ તળાવમાં કેમ ફેંકવામાં આવ્યું? આ મામલે સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દૂધની અનેક થેલીઓ તળાવમાં ફેંકી દેવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 56

    કચરામાં 'સંજીવની'! દાહોદમાં આંગણવાડીના બાળકોને અપાતું દૂધ તળાવમાં ફેંકેલું જોવા મળ્યું

    સરકાર દ્વારા દરરોજ આંગણવાડીમાં દૂધ આપવામાં આવે છે. દૂધ ફેંકી દેવાનું એક કારણ એવું પણ હોઈ શકે છે કે કોઈ આંગણવાડીમાં નિશ્ચિત સંખ્યા કરતા વધારે બાળકો દર્શાવવામાં આવ્યા હોઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 66

    કચરામાં 'સંજીવની'! દાહોદમાં આંગણવાડીના બાળકોને અપાતું દૂધ તળાવમાં ફેંકેલું જોવા મળ્યું

    જ્યારે સરકાર તરફથી સંખ્યાના આધારે દૂધનો જથ્થો ફાળવવામાં આવે છે. આથી શક્ય છે કે વધારે દૂધનો જથ્થો આવ્યો હોય તો તેવા કિસ્સામાં દૂધ પડ્યું રહેવાથી ખરાબ થઈ ગઈ હોઈ શકે છે.

    MORE
    GALLERIES