Home » photogallery » madhya-gujarat » દાહોદઃ દેવગઢબારિયાના ચિત્રકારે Lockdownનો કર્યો સદઉપયોગ, તનમહાલ લેન્ડસ્કેપના આબેહૂબ 500 ચિત્રોનું કર્યું સર્જન

દાહોદઃ દેવગઢબારિયાના ચિત્રકારે Lockdownનો કર્યો સદઉપયોગ, તનમહાલ લેન્ડસ્કેપના આબેહૂબ 500 ચિત્રોનું કર્યું સર્જન

છેલ્લા એક વર્ષમાં નવરાશના સમયમાં કેતનસિંહે રતનમહાલ અભ્યારણ્ય સ્થિત નળધા, જલધારા ધોધ, પીપરગોટા, પાનમ, અલિન્દ્રા, ભૂવેરો, ઉડલમહુડા,સનસેટ પોઈન્ટ, કંજેટા જેવા સ્થળોએ જઈ કેનવાસ ઉપર 500 જેટલા લાઈવ ચિત્રોનું સર્જન કર્યું છે.

  • 16

    દાહોદઃ દેવગઢબારિયાના ચિત્રકારે Lockdownનો કર્યો સદઉપયોગ, તનમહાલ લેન્ડસ્કેપના આબેહૂબ 500 ચિત્રોનું કર્યું સર્જન

    સાબિર ભાભોર, દાહોદઃ માર્ચ 2020થી શરૂ થયેલ કોરોના કહેર (coronavirus) પછીથી સંપૂર્ણ અને આંશિક લોકડાઉનમાં (lockdown) અનેક લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તો લોકો આર્થિક મુશ્કેલીનો (money crisis) પણ સામનો કરવો પડ્યો હતો. સાથે જ ઘરમાં રહીને સેમય કેવી રીતે પસાર કરવો આવી અનેક મૂંઝવણો વચ્ચે લોકોએ સમય પસાર કર્યો હતો. ત્યારે આવા સમયનો ઉપયોગ કરીને દેવગઢબારિયાના (devgadhbariya) ચિત્રકાર (Painter) કેતનસિંહ ચૌહાણે પોતાના શોખ પ્રમાણે  રંગ, પીછી અને કેનવાસના સહારે અદભૂત ચિત્રોનું સર્જન (Creation of pictures) કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 26

    દાહોદઃ દેવગઢબારિયાના ચિત્રકારે Lockdownનો કર્યો સદઉપયોગ, તનમહાલ લેન્ડસ્કેપના આબેહૂબ 500 ચિત્રોનું કર્યું સર્જન

    દાહોદ જિલ્લાનું પ્રખ્યાત રીંછ અભ્યારણ્ય 'રતનમહાલ' કે જ્યાં કુદરતી સૌદર્યનો અદ્ભુત નઝારો જોવા મળે છે. ચોમાસા દરમિયાન રતનમહાલના ડુંગરોમાં અનેક ધોધનો આનંદ લેવા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. ગીચ જંગલ વિસ્તારમાં તમામ પ્રકારના જાનવરો પણ અહી વસવાટ કરે છે. ત્યારે કેતનસિંહે  રતનમહાલ  લેન્ડસ્કેપના 500 જેટલા ચિત્રોનું સર્જન કર્યું છે.

    MORE
    GALLERIES

  • 36

    દાહોદઃ દેવગઢબારિયાના ચિત્રકારે Lockdownનો કર્યો સદઉપયોગ, તનમહાલ લેન્ડસ્કેપના આબેહૂબ 500 ચિત્રોનું કર્યું સર્જન

    દેવગઢબારિયા ખાતે એનજીઓ અને ઓર્ગેનિક ખેતી સાથે સંકળાયેલા કેતનસિંહ ચૌહાણને બાળપણથી પેઈન્ટીંગમાં રસ હતો અને અભ્યાસની સાથે ચિત્રકળા ઉપર હાથ અજમાવી આણંદની ઇકોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાં અભ્યાસ કરી તે જ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ત્રણ વર્ષ સુધી કળા પ્રેમી વિધ્યાર્થીઑને તાલીમ આપી હતી.

    MORE
    GALLERIES

  • 46

    દાહોદઃ દેવગઢબારિયાના ચિત્રકારે Lockdownનો કર્યો સદઉપયોગ, તનમહાલ લેન્ડસ્કેપના આબેહૂબ 500 ચિત્રોનું કર્યું સર્જન

    હાલ દેવગઢબારિયામાં રહી એનજીઓ સાથે સંકળાઇ લોકસેવાના કામોની સાથે ઓર્ગેનિક ખેતી કરે છે. તો સાથે જ નાનપણથી રહેલ પેઇન્ટિંગના શોખને લઈને નવરાશની પળોમાં દાહોદ જિલ્લાની પ્રકૃતિ રંગ અને પીછી વડે કેનવાસ ઉપર કંડારે છે.

    MORE
    GALLERIES

  • 56

    દાહોદઃ દેવગઢબારિયાના ચિત્રકારે Lockdownનો કર્યો સદઉપયોગ, તનમહાલ લેન્ડસ્કેપના આબેહૂબ 500 ચિત્રોનું કર્યું સર્જન

    કેતનસિંહના અનેક ચિત્રો દેવગઢબારિયા, સંતરામપુર, જાંબુઘોડા સહિતના કલાપ્રેમી રાજવી પરિવારોએ ઊંચી કિમતમાં ચિત્રો ખરીદીને રાજમહલમાં રાખી મહેલોની શોભા વધારી છે. મોન્સુન સિઝનના લાઈવ અને લેન્ડસ્કેપ સીરિઝ પેઇન્ટિંગ કરી રતનમહાલ સીરિઝના 500 ચિત્રો તૈયાર કર્યા છે.

    MORE
    GALLERIES

  • 66

    દાહોદઃ દેવગઢબારિયાના ચિત્રકારે Lockdownનો કર્યો સદઉપયોગ, તનમહાલ લેન્ડસ્કેપના આબેહૂબ 500 ચિત્રોનું કર્યું સર્જન

    છેલ્લા એક વર્ષમાં નવરાશના સમયમાં કેતનસિંહે રતનમહાલ અભ્યારણ્ય સ્થિત નળધા, જલધારા ધોધ, પીપરગોટા, પાનમ, અલિન્દ્રા, ભૂવેરો, ઉડલમહુડા,સનસેટ પોઈન્ટ, કંજેટા જેવા સ્થળોએ જઈ કેનવાસ ઉપર 500 જેટલા લાઈવ ચિત્રોનું સર્જન કર્યું છે.

    MORE
    GALLERIES