Home » photogallery » madhya-gujarat » દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

મામાને બાઈક ઉપર લઈ જઈને તળાવમાં ધક્કો મારી દીધો હતો અને ઉપરથી પથ્થરના ઘા મારીને મામાને મોતને ઘાટ ઉતાર્યો હતો.

  • 15

    દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

    ન સાબિર ભાભોર, દાહોદઃ દાહોદના (dahod) ગલાલિયાવાડ ખાતે રહેતા શ્યામ પારગીનો (shyam paragi) મૃતદેહ ગઈ (dead body) મોડી સાંજે મુવાલીયા ખાતેના તળાવમાંથી મળી આવ્યો હતો. શ્યામને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો ઉપર ઇજા નિશાન જોવા મળતા મૃતકના પિતાએ હત્યાનો આશંકાએ  દાહોદ રૂરલ પોલીસ મથકે (Dahod rural police station) ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાની શંકા તરફ તપાસ કરતા દાહોદ એલ.સી.બી (dahod l.C.B) અને એસ.ઓ.જી (S.O.G) સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. અને ગણતરીના કલાકોમાં જ પોલીસને સફળતા સાંપડી હતી. (મૃતકની તસવીર)

    MORE
    GALLERIES

  • 25

    દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

    પોલીસને ટેક્નિકલ, હ્યુમન સોર્સ અને બતમીદારોના આધારે માહિતી મળી હતી કે મૃતકનો ભાણેજ અર્જુન નીનામાં અવારનવાર શ્યામના ઘરે આવતો હતો અને અર્જુન જે છોકરીને પ્રેમ કરતો હતો તે છોકરી સાથે શ્યામ પણ વાતચીત કરતો અને મળતો હતો. આ બાબતને લઇને શ્યામ અને અર્જુન વચ્ચે અનેકવાર તકરાર પણ થઈ હતી.

    MORE
    GALLERIES

  • 35

    દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

    આ માહિતી મળતા પોલીસે અર્જુન નીનામાની અટકાયત કરી કડક પૂછપરછમાં અર્જુને ગુનો કબુલ કરી લીધો હતો. અર્જુન અને શ્યામ વચ્ચે એક જ છોકરીના પ્રેમ સબંધને લઈને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ અર્જુને શ્યામની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો.

    MORE
    GALLERIES

  • 45

    દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

    બનાવના દિવસે અર્જુનનો જન્મદિવસ હતો. જેથી જન્મદિવસની ઉજવણીના બહાને અર્જુને મામાને પોતાના ઘરે બોલાવી મોટરસાયકલ ઉપર રાબડાળ લઈ ગયો ત્યાંથી મુવાલીયા તળાવ ઉપર લઈ જઈ તળાવની પાળ ઉપરથી શ્યામને પાણીમાં ધક્કો મારી દીધો હતો.

    MORE
    GALLERIES

  • 55

    દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

    જ્યારે મૃતકે બચવા માટે પાણીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતા અર્જુને પથ્થરો વડે માથાના ઉપરાછાપરી ઘા કરી શ્યામને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપી અર્જુનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    MORE
    GALLERIES