Home » photogallery » madhya-gujarat » સરકારના આ નિર્ણયથી દાહોદના 600થી વધારે બાળકોનું શિક્ષણ અંધકારમય બન્યું

સરકારના આ નિર્ણયથી દાહોદના 600થી વધારે બાળકોનું શિક્ષણ અંધકારમય બન્યું

Dahod news: મોડેલ ડે સ્કૂલો બંધ કરવાના નિર્ણયથી બાળકોને અન્ય શાળામાં મોકલવાથી 5થી 10 કિલોમીટર સુધી દૂર જવું પડી શકે છે સાથે જ પ્રવેશ પણ મળશે કે નહીં તે પણ એક ચિંતાનો વિષય છે.

  • 15

    સરકારના આ નિર્ણયથી દાહોદના 600થી વધારે બાળકોનું શિક્ષણ અંધકારમય બન્યું

    સાબિર ભાભોર, દાહોદઃ રાજ્ય સરકાર (Gujarat Government) દ્રારા આદિવાસી વિસ્તારોમાં અધતન શિક્ષણ (Education) માટે મોડેલ ડે સ્કૂલો (Model Day Schools) શરૂ કરી હતી. જેને પગલે ગ્રામ્ય વિસ્તારના ગરીબ આદિવાસી બાળકો (Tribal children) માટે આ શાળાઓ (school) આશીર્વાદ રૂપ સાબિત થઈ હતી. પરંતુ એકાએક સરકાર દ્રારા રાજ્યની આઠ શાળા બંધ કરવાના નિર્ણયને પગલે દાહોદ જિલ્લાના (dahod) ગરબાડા તાલુકાની (Garbada) વજેલાવમાં ચાલતી મોડેલ ડે સ્કૂલ અને ધાનપુર તાલુકાનાં અગાસવાણીની મોડેલ  ડે સ્કૂલ પણ બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોની માંગ છે કે આ શાળા ચાલુ રહેવી જોઇએ.

    MORE
    GALLERIES

  • 25

    સરકારના આ નિર્ણયથી દાહોદના 600થી વધારે બાળકોનું શિક્ષણ અંધકારમય બન્યું

    દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને જિલ્લાના આદિવાસી ખેડૂતો મોટે ભાગે ખેતી અથવા મજૂરી કામ પર નિર્ભર હોય છે. અહીના આદિવાસી સમાજના લોકો રાજ્યના અન્ય જિલ્લાઓમાં રોજીરોટી માટે પણ હિજરત કરતાં હોય છે.

    MORE
    GALLERIES

  • 35

    સરકારના આ નિર્ણયથી દાહોદના 600થી વધારે બાળકોનું શિક્ષણ અંધકારમય બન્યું

    ત્યારે આર્થિક કટોકટીને પગલે બાળકોને સારું શિક્ષણ આપવું શક્ય નથી. ત્યારે આદિવાસી વિસ્તારોમાં સારા શિક્ષણ માટે સરકાર દ્રારા ચાલતી મોડેલ ડે સ્કૂલથી બાળકોને સારું શિક્ષણ મળી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 45

    સરકારના આ નિર્ણયથી દાહોદના 600થી વધારે બાળકોનું શિક્ષણ અંધકારમય બન્યું

    ત્યારે ગરબાડા તાલુકાની વજેલાવ મોડેલ ડે સ્કૂલ બંધ થવાથી શાળામાં અભ્યાસ કરતાં 215 બાળકો અને ધાનપુરની અગાસવાણી મોડેલ ડે સ્કૂલમાં અભ્યાસ કરતાં 418 બાળકો શિક્ષણથી વંચિત રહેશે.

    MORE
    GALLERIES

  • 55

    સરકારના આ નિર્ણયથી દાહોદના 600થી વધારે બાળકોનું શિક્ષણ અંધકારમય બન્યું

    અથવા આ બાળકોને અન્ય શાળામાં મોકલવાથી 5થી 10 કિલોમીટર સુધી દૂર જવું પડી શકે છે સાથે જ પ્રવેશ પણ મળશે કે નહીં તે પણ એક ચિંતાનો વિષય છે. બંને શાળાઓ બંધ કરવાના નિર્ણયને પગલે વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

    MORE
    GALLERIES