Home » photogallery » madhya-gujarat » છોટાઉદેપુર: તંત્રએ કર્યા 'આંખ આડા કાન', ખેડૂતોએ આ રીતે જાત મહેનત જિંદાબાદથી ખેતરો કર્યા લીલાછમ

છોટાઉદેપુર: તંત્રએ કર્યા 'આંખ આડા કાન', ખેડૂતોએ આ રીતે જાત મહેનત જિંદાબાદથી ખેતરો કર્યા લીલાછમ

આખરે સુખી ભટ્ટ જોવાતી કેનલોમાં પાણી આવી જતાં ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોચી ગયું અને જે સુકાઈ રહેલ ખેડૂતનો ઊભો પાક બચી ગયો.

  • 16

    છોટાઉદેપુર: તંત્રએ કર્યા 'આંખ આડા કાન', ખેડૂતોએ આ રીતે જાત મહેનત જિંદાબાદથી ખેતરો કર્યા લીલાછમ

    સેહજબ ખત્રી, છોટાઉદેપુર : બોડેલી તાલુકાના જોગપુરા ગોવિંદપુરા વિસ્તારમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડાં પડી જતાં સિંચાઇનું પાણી કોતરોમાં વહી જતું હતું. આ બાબતે તંત્રમાં વારંવારની રજૂઆતો કરવામાં આવી પણ તેમની વાત ધ્યાને ના લેવાતા ખેડૂતોએ જાતમહેનતે વેડફાઇ જતું પાણી અધિકારીઑ અને તંત્રની મદદ વગર પોતાના ખેતર સુધી લઈ જઇ તેમના પાકને બચાવી લીધો છે.

    MORE
    GALLERIES

  • 26

    છોટાઉદેપુર: તંત્રએ કર્યા 'આંખ આડા કાન', ખેડૂતોએ આ રીતે જાત મહેનત જિંદાબાદથી ખેતરો કર્યા લીલાછમ

    બોડેલી તાલુકાના કેટલાક એવા વિસ્તારો છે જે વિસ્તારોમાં જળ સ્તર નીચે જતાં રહેતા ખેડૂતોને ખેતી કરવા માટે નર્મદા નિગમના સિંચાઇના પાણી પર જ આધાર રાખવો પડે છે. નર્મદા નિગમ દ્રારા આ વિસ્તારોમાં વર્ષો પહેલા માઇનોર કેનાલો બનાવી ખેડૂતના ખેતર સુધી સિંચાઇનું પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ નર્મદા નિગમના અધિકારી દ્રારા માઇનોર કેનલોમાં પડેલ ભંગણોની મરામત ના કરાતાં હવે ખેડૂતના ખેતર સુધી પાણી ના પહોંચતા કોતરોમાં વહી જતું હતું, જેથી ખેડૂતોને સિંચાઇનો લાભ મળતો ના હતો.

    MORE
    GALLERIES

  • 36

    છોટાઉદેપુર: તંત્રએ કર્યા 'આંખ આડા કાન', ખેડૂતોએ આ રીતે જાત મહેનત જિંદાબાદથી ખેતરો કર્યા લીલાછમ

    આ વર્ષે ખેડૂતોને એક આશા હતી કે, અધિકારીઑ દ્રારા માઇનોર કેનલોનું રિપેરિંગ કરી દેવામાં આવશે જે આશાને લઈ કેટલાક ખેડૂતોએ રવી પાક માટે વાવેતર કરી દીધું હતું, પણ અધિકારીઑએ ખેડૂતોની ફિકર ના કરી અને ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો.

    MORE
    GALLERIES

  • 46

    છોટાઉદેપુર: તંત્રએ કર્યા 'આંખ આડા કાન', ખેડૂતોએ આ રીતે જાત મહેનત જિંદાબાદથી ખેતરો કર્યા લીલાછમ

    માલ સુકાતા ખેડૂતોને આખા વર્ષ દરમિયાન જે નુકશાની વેઠી તે ફરીથી વેઠવાનો વારો આવશે તે બાબતની ચિંતા સતાવવા લાગી. નર્મદા નિગમ દ્રારા પાણી તો છોડવામાં આવી રહ્યું છે, પણ એજ પાણી કોતરોમાં વહી જતું હોય એ પાણી પોતાના ખેતર સુધી કેમ આવે તે માટે આસપાસના ખેડૂતોએ ભેગા મળી કોઈક રસ્તો કાઢવાનું વિચાર્યુ. સ્વભંડોળ ભેગું કરી સાફસફાઇ અને મરામત કરવાનું નક્કી થતાં ખેડૂતો કામે લાગી ગયા, અને પોતાનો પાક સુકાઈ જાય તે પહેલા જ નર્મદા નિગમની માઇનોર કેનાલમાં પડેલ ભંગાણની મરામત કરી તો કેટલાક યુવકોએ કેનાલના કૂવા વચ્ચે લાકડાનો બ્રિજ બનાવી તેની ઉપરથી પાઇપ લાઇન પસાર કરી સામે કિનારાના ખેતર સુધી પાણી પહોંચાડી દીધું.

    MORE
    GALLERIES

  • 56

    છોટાઉદેપુર: તંત્રએ કર્યા 'આંખ આડા કાન', ખેડૂતોએ આ રીતે જાત મહેનત જિંદાબાદથી ખેતરો કર્યા લીલાછમ

    આખરે સુખી ભટ્ટ જોવાતી કેનલોમાં પાણી આવી જતાં ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોચી ગયું અને જે સુકાઈ રહેલ ખેડૂતનો ઊભો પાક બચી ગયો. પાણી આવતા જે બંજર થયેલા ખેતરો હતા, તેમાં ખેડૂતો હવે વાવણી કરવા લાગ્યા છે. અધિકારીઑની મદદ વગર આત્મનિર્ભર બનેલા ખેડૂતો લીલાછમ લહેરાઈ રહેલા ખેતરોને જોઈ હરખાઈ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 66

    છોટાઉદેપુર: તંત્રએ કર્યા 'આંખ આડા કાન', ખેડૂતોએ આ રીતે જાત મહેનત જિંદાબાદથી ખેતરો કર્યા લીલાછમ

    વર્ષો જૂની થયેલ કેનલોમાં ઠેર ઠેર ગાબડાં પડી તીરડો પડી ગઈ છે, જેની રજૂઆતો ખેડૂતોએ વારંવાર કરી. સુકાઈ જઈ રહેલા પાકની ફિકર તો અધિકારીઑએ ના કરી પણ ખેડૂતોએ જ જાત મહેનત કરી પોતાના ખર્ચે સાફસફાઇ અને રિપેરિંગ કરી બે કૂવા વચ્ચેથી પાઇપ પસાર કરી સામે કિનારે આવેલા પોતાના ખેતરોમાંનો પાક બચાવી ખેડૂતોએ આત્મ નિર્ભર બની પોતાના પાકને બચાવી લીધો.

    MORE
    GALLERIES