સેહજબ ખત્રી, છોટાઉદેપુર: શિક્ષક (Teacher)ના માથે બાળકોના ભવિષ્યનું ઘડતર કરવાની સૌથી મોટી જવાબદારી હોય છે. શિક્ષક સમાજને નવી રાહ ચીંધે છે, પરંતુ છોટાઉદેપુરમાં એક શિક્ષકે હાથમાં છરી લઈને સ્કૂલના આચાર્ય (School Principal)ની હત્યા કરી નાખ્યાનો બનાવ બન્યો છે. જિલ્લાના નસવાડી તાલુકા (Naswadi Taluka) ખાતે આ બનાવ બન્યો છે. હત્યા બાદ આરોપી શિક્ષક ફરાર થઈ ગયો છે. એવી પણ માહિતી મળી છે કે હત્યારા શિક્ષકના પાંચ દિવસ બાદ લગ્ન (Marriage) હતા. બનાવ બાદ પોલીસે આચાર્યના મૃતદેહને પોસ્ટ મોર્ટ માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે. હાલ નસવાડી તાલુકામાં આ મામલો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.
પીડિત શિક્ષકની પત્નીના આક્ષેપ પ્રમાણે ભરત પીઠીયા મોટો છરો લઈને આવ્યો હતો અને તેમના પતિ પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં આરોપી શિક્ષકે પીડિત શિક્ષકની પત્ની અને દીકરી પર પણ છરાથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલા શિક્ષકની પત્ની અને દીકરીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હત્યા બાદ આરોપી શિક્ષક ફરાર થઈ ગયો છે.
12 કલાક પહેલા જ સાથે ભોજન કર્યું હતું: મળતી માહિતી પ્રમાણે બંને પિતરાઈ પડોશમાં જ રહેતા હતા. હત્યાના 12 કલાક પહેલા જ બંનેએ સાથે ભોજન પણ કર્યું હતું. આ ઘટનામાં ઘાયલ પીડિતની પુત્રી અને પત્નીની હાલ બોડેલી ખાતે સારવાર ચાલી રહી છે. નસવાડી પોલીસ આ કેસમાં મૃતકની પત્નીની ફરિયાદ લઇ કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ પીઠીયાને ઝડપી પાડવાના ચક્રગતિમાન કર્યા છે.