જમ્મુ - કાશ્મીરનાં પુલાવામા ખાતે ગુરૂવારે આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થવાની જઘન્ય ઘટનાનાં રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે. 'વંદે માતરમ' અને 'પાકિસ્તાન મુર્દાબાદ'નાં નારા સાથે પ્રચંડ જનાક્રોશ ભભૂક્યો હતો. ઠેર ઠેર આતંકવાદનાં પુતળાનાં દહન કરાયા હતા અને નનામી પણ કઢાઇ હતી અને સાથે શહીદોને શ્રધ્ધાંજલી પણ અર્પણ કરવામાં આવી હતી. આણંદમાં પણ લોકોનો રોષ ભભૂકતા વિદ્યાનગર રોડ પર પાકિસ્તાનનો ઝંડો રસ્તા પર દોરીને વિરોધ નોંધાવ્યો હતો.