

ઋત્વીજ સોની, અમદાવાદ : અમદાવાદ : શહેરમાં હાલમાં રાત્રી કર્ફ્યુ અમલમાં છે. અને 31મી ડિસેમ્બર ને કારણે શહેર પોલીસ હતી. સમગ્ર અમદાવાદમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ ઉપરાંત રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હતું. પોલીસની આ કડક કામગીરી વચ્ચે પણ શહેરના વસ્ત્રાલમાં પૈસાની લેતીદેતીમાં ખૂની ખેલ ખેલાયો છે. છ રાઉન્ડ ફાયરિંગમાં (Ahmedabad Firing) જશવંત સિંહ રાજપુત નામના વ્યક્તિની હત્યા થઈ છે.


શહેરના વસ્ત્રાલ વિસ્તાર માં કર્ણાવતી ચાર રસ્તા પાસે આવેલ રાધે ચેમ્બર્સ માં ફાયરિંગ થયું હોવાનો મેસેજ મળતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત નો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતી કે 203 નંબરની ઓફીસમાં અર્પણ પાંડે અને સુશીલ સિંહ ઠાકુર નામના આરોપી ઓએ ભેગા મળીને જશવંત સિંહ રાજપુત ની હત્યા કરી છે. પૈસાની લેતીદેતીમાં આ બનાવ બન્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.


પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અર્પણ પાંડેને મૃતક પાસેથી રૂપિયા 1 લાખ 80 હજાર લેવાના હતા. જે મામલે આજે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. જસવંત મારુતિ સિક્યુરિટીમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતો હતો. મોડી સાંજે થયેલા છ રાઉન્ડ ફાયરિંગમાં મૃતકને શરીરના પાછળના ભાગે માથાના ભાગે અને ગળાના ભાગે ઇજા પહોંચી છે. જેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.