Home » photogallery » madhya-gujarat » અમદાવાદ રથયાત્ર: જાણો જગન્નાથ મંદિરમાં કાળી રોટી ધોળી દાળનો પ્રસાદ કેમ આપવામાં આવે છે?

અમદાવાદ રથયાત્ર: જાણો જગન્નાથ મંદિરમાં કાળી રોટી ધોળી દાળનો પ્રસાદ કેમ આપવામાં આવે છે?

Ahmedabad News: અમદાવાદ જગન્નાથ મંદિરના ગાદિપતીઓને એક જ ધ્યેય રહ્યો છે કે ભુખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવુ.વર્ષોથી ચાલતી પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવી છે.

  • 16

    અમદાવાદ રથયાત્ર: જાણો જગન્નાથ મંદિરમાં કાળી રોટી ધોળી દાળનો પ્રસાદ કેમ આપવામાં આવે છે?

    વિભુ પટેલ, અમદાવાદ: શહેરના (Ahmedabad) ભગવાન જગન્નાથના ધામમાં (Jagannath Temple) ભક્તોને કાળી રોટી-ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપારને આજે પણ નિજ મંદિરમાં જાળવી રાખવામાં આવી છે. રથયાત્રા (Rathyatra) ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ પર્વ છે. અમદાવાદ શહેરમાં આવેલા જગન્નાથ મંદિરનો 300 વર્ષ જુનો ઈતિહાસ રહ્યો છે. અંગ્રેજોના વખતે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળતી હતી.

    MORE
    GALLERIES

  • 26

    અમદાવાદ રથયાત્ર: જાણો જગન્નાથ મંદિરમાં કાળી રોટી ધોળી દાળનો પ્રસાદ કેમ આપવામાં આવે છે?

    મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈ.સ. ૧૮૭૮ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો.ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે રથયાત્રા નીકળે છે.ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 36

    અમદાવાદ રથયાત્ર: જાણો જગન્નાથ મંદિરમાં કાળી રોટી ધોળી દાળનો પ્રસાદ કેમ આપવામાં આવે છે?

    ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે,અને ચાલુ વર્ષે અષાઢી બીજના દિવસે પરંપરા પ્રમાણે 145મી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે.

    MORE
    GALLERIES

  • 46

    અમદાવાદ રથયાત્ર: જાણો જગન્નાથ મંદિરમાં કાળી રોટી ધોળી દાળનો પ્રસાદ કેમ આપવામાં આવે છે?

    ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે કાળી રોટી ધોળી દાળનુ પણ પણ વિશેષ મહત્વ છે.મહંત નરસિંહદાસજી સેવા ભાવી હતા.અને લોકો ભુખ્યા ન રહે તેનુ પણ ધ્યાન રાખતા.અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરની આજુ બાજુ વર્ષો પહેલા મીલો આવેલી હતી.અને આસપાસના વિસ્તારમાં મજુર અને ગરીબ લોકો રહેતા હતા.

    MORE
    GALLERIES

  • 56

    અમદાવાદ રથયાત્ર: જાણો જગન્નાથ મંદિરમાં કાળી રોટી ધોળી દાળનો પ્રસાદ કેમ આપવામાં આવે છે?

    ગરીબ લોકોને મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા ભોજન કરાવતા. ભોજનમાં માલપુવા અને દુધપાક આપવામાં આવતો હતો.ત્યારથી લઈ આજ સુધી આ પરંપરાને ચાલુ રાખવામાં આવી છે.જેને કાળી રોટી ધોળી દાળ કહેવામાં આવે છે.ભગવાન જગન્નાથના મંદિરે આવતા તમામ ભક્તોને માલપુવા, ગુંદી,અને ગાઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે.તેમજ જગન્નાથ મંદિરે ભંડારામાં ભક્તોને માલપુવા અને દુધપાક આપવામાં આવે છે

    MORE
    GALLERIES

  • 66

    અમદાવાદ રથયાત્ર: જાણો જગન્નાથ મંદિરમાં કાળી રોટી ધોળી દાળનો પ્રસાદ કેમ આપવામાં આવે છે?

    અમદાવાદ જગન્નાથ મંદિરના ગાદિપતીઓને એક જ ધ્યેય રહ્યો છે કે ભુખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવુ.વર્ષોથી ચાલતી પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવી છે.મોટી સંખ્યમાં ભક્તો મંદિરએ આવે છે.અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ સામેથી ભક્તોને દર્શન આપવા નિકળશે.ત્યારે ભક્તો પણ નીજ મંદિરમાં ભગવાનના દર્શન કરી.અને ભગવાનને પ્રિય માલપુવાનો પ્રસાદ લઈ ધન્યાતા અનુભવે છે.

    MORE
    GALLERIES