અમદાવાદ : ચોમાસાએ (Monsoon) સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. એમાં પણ આજે 16મી ઑક્ટોબરથી આસો નવરાત્રિનો (Navratri 2020) પ્રારંભ થયો છે. જોકે, આ બધાની વચ્ચે હવામાન વિભાગે (Rain Warning) ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના (Gujarat Rain Forefacste) કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતા છે. જોકે, ગઈકાલે રાત્રે કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો પણ છે. આમ આ વર્ષે ચોમાસું વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યું. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં 2,93,503 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 87.85 ટકા છે. રાજયનાં 205 જળાશયોમાં 5,35,296 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 96.10 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-173 જળાશય, એલર્ટ ૫ર કુલ-10 જળાશય તેમજ વોર્નીગ ૫ર 05 જળાશય છે. ફાઈલ તસવીર