

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (gujarat CoronaUpdates) 1026 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં કેસમાં ઘટાડો આવ્યો છે. ત્યારે આજે શહેરમાં 211 અને જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 7 દર્દીનાં નિધન થતા કોરોનાની કાતિલ રફતાર જોવા મળી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડના કારણે કુલ 2,34,289 દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 50000ને પાર થઈ ગયો છે.


24 કલાકમાં રાજ્યમાં અમદાવાદમાં 220, સુરતમાં 166, રાજકોટમાં 128, વડોદરામાં 142, કચ્છમાં 38, મહેસાણામાં 38, ગાંધીનગરમાં 24, પંચમહાલમાં 23, ખેડામાં 19, ગાંધીનગરમાં 42, પંચમહાલમાં 23, ખેડામાં 19, બનાસકાંઠામાં 16, ભરૂચ, સાબરકાંઠામાં 16-16 કેસ નોધાયા છે


24 કલાકમાં દાહોદમાં 15, ભાવનગરમાં 16, જામનગરમાં 26, જૂનાગઢમાં 18, આણંદમાં 10, મહીસાગરમાં 10, સુરેન્દ્રનગરમાં 10, અમરેલીમાં 9, મોરબીમાં 9, ગીરસોમનાથમાં 7, પાટણમાં 7, નર્મદામાં 6, તાપીમાં 6, છોટાઉદેપુરમાં 5, દેવભૂમિ દ્વારકામાં 5, અરવલ્લીમાં 3, નવસારીમાં 2, બોટાદમાં 1, પોરબંદરમાં 1 અને વલસાડમાં 1 મળીને કુલ 1026 કેસ નોંધાયા છે.


રાજ્યમાં હાલમાં કુલ 12127 કેસ એક્ટિવ છે જ્યારે વેન્ટિલેટર પર 63 દર્દીઓ છે જ્યારે 12604 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં હાલમાં 217935 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે, હાલમાં 4227 દર્દીઓ કોરોના કારણે આજની તારીખે સરકારી ચોપડે મરણ પામ્યા છે.