Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 21મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 347 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે દર્દીઓ 887 સાજા થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 06 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે
રાજ્યમાં ફક્ત અમદાવાદ શહેરમાં જ કોરોનાના 128 નવા કેસ કેસ છે જે ત્રણ સંખ્યાનો આંકડો છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં 36 કેસ, વડોદરા જિલ્લામાં 23, બનાસકાંઠામાં 19, ગાંધીનગર શહેરમાં 16, રાજકોટ શહેરમાં 13, આમંદમાં 12, રાજોકટમાં 12, અરવલ્લીમાં 09, સુરત કોર્પોરેશનમાં 08, દાહોદ, ખેડા, મોરબી, સુરતમાં 07-07 કેસ છે જ્યારે પાટણ-તાપીમાં 5-5 નવા કેસ નોંધાયા છે.
અમદાવાદ જિલ્લામાં, નવસારીમાં 4-4, ભાવનગર શહેર જિલ્લો, સુરેન્દ્રનગરમાં 3-3, ગાંધીનગર, ગીરસોમનાથ, કચ્છ, સાબરકાંઠામાં 2-2, અમરેલી, છોટાઉદેપુર, જામનગર, જૂનાગઢ શહેર વલસાડમાં 1 કેસ નોંધાયાા છે. આજે બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર શહેર, જૂનાગઢ, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પોરબંદરમાં શૂન્ય કેસ નોંધાયા છે.