Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 11મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 1883 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 5005 દર્દીઓ સાજા થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે14 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાં આજે કોરોનાના નવા કેસનો આંકડો ગઈકાલ કરતા ઘણો ઓછો છે. રાજ્યમાં હવે કોરોનાના કેસ થોડા દિવસોમાં જ સામાન્ય થઈ જવાની સ્થિતિ છે.
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 618. વડોદરા શહેરમાં 282, વડોદરા જિલ્લામાં 96, મહેસાણામાં 95, ગાંધીનગર શહેરમાં 75, સુરત જિલ્લામાં 73, આણંદમાં 55, રાજકોટ શહેરમાં 47, સુરત શહેરમાં 47, બનાસકાંઠામાં 43, ખેડામાં 40, કચ્છમાં 39, પંચમહાલ, રાજકોટમાં 31-31, ગાંધીનગરમાં 29, પાટણમાં સાબરકાંઠામાં 27-27, નવસારીમાં 25, ડાંગ, તાપીમાં 20-20 કેસ નોંધાયા છે.
ભરૂચમાં 18, ભાવનગર શહેરમાં 17, દાહોદમાં 16, અમદાવાદમાં 15, મોરબીમાં 14, અમરેલીમાં 13, સુરેન્દ્રનગરમાં 12, વલસાડમાં 9, છોટાઉદેપુર, ગીરસોમનાથમાં 7-7, જૂનાગઢમાં 6, પોરબંદરમાં 5, અરવલ્લીમાં 4, મહીસાગરમાં 4, નર્મદામાં 4, ભાવનગર, જૂનાગઢ શહેરમાં 3-3,. દેવભૂમિ દ્વારકામાં 2, જામનગરમાં 1 અને બોટાદમાં 1 મળી અને કુલ 1883 કેસ નોંધાયા છે.