Home » photogallery » madhya-gujarat » રાજ્યમાં આજે 8 જિલ્લામાં Coronaના શૂન્ય કેસ, 2.63 લાખ વ્યક્તિનું રસીકરણ થયું

રાજ્યમાં આજે 8 જિલ્લામાં Coronaના શૂન્ય કેસ, 2.63 લાખ વ્યક્તિનું રસીકરણ થયું

રાજ્યમાં આજે કોરોનાના નવા કેસ કેટલા? કેટલા દર્દી સાજા થયા, જાણો તમામ જિલ્લાની વિગતો

विज्ञापन

  • 15

    રાજ્યમાં આજે 8 જિલ્લામાં Coronaના શૂન્ય કેસ, 2.63 લાખ વ્યક્તિનું રસીકરણ થયું

    અમદાવાદ : અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 352 કેસ નોંધાયા છે. જેની સામે 1006 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 4 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10007 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.62 ટકા છે. આજે રાજ્યમાં 3,63,630 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 25

    રાજ્યમાં આજે 8 જિલ્લામાં Coronaના શૂન્ય કેસ, 2.63 લાખ વ્યક્તિનું રસીકરણ થયું

    રાજ્યમાં નવા કેસની સંખ્યા સાવ ઘટી ગઈ છે. રાજ્યના મહાનગરોની ચર્ચા કરવામાં આવે તો આ ચાર્ટ મુજબ અમદાવાદ, સુરતમાં 48-48 કેસ, વડોદરામાં 29, રાજકોટમાં 22, ભાવનગરમમાં 1, ગાંધીનગરમાં 7, જ્યારે જામનગરમાં માત્ર 6 જ કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 35

    રાજ્યમાં આજે 8 જિલ્લામાં Coronaના શૂન્ય કેસ, 2.63 લાખ વ્યક્તિનું રસીકરણ થયું

    રાજ્યમાં આ ઉપરાંત આજે જિલ્લા કક્ષાએ 8 જિલ્લામાં કોરોનાના 0 કેસ નોંધાયા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં અને મહાનગરોમાં જોઈએ તો 1થી લઈને 48 મહત્તમ કેસ નોંધાયા છે. આમ કોરોનાની બીજી લહેરનો સૂર્ય અસ્ત થવાની અણીએ છે. તેની સામે રાજ્યમાં આજે સૌથી વધુ વડોદરા શહેરમાં 168 અને સુરતમાંથી 135 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

    MORE
    GALLERIES

  • 45

    રાજ્યમાં આજે 8 જિલ્લામાં Coronaના શૂન્ય કેસ, 2.63 લાખ વ્યક્તિનું રસીકરણ થયું

    રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 8884 થઈ ગઈ છે જ્યારે વેન્ટિલેટર પર ફક્ત 219 દર્દીઓ છે. હાલ રાજ્યમાં કુલ 8665 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 8,02, 187 દર્દી સાજા થઈને પોતાના ઘરે પરત જઈ આવ્યા છે. રાજ્યમાં 10007 દર્દીઓએ સરકારી ચોપડે કોરોનામાં જીવ ગુમાવ્યા છે.

    MORE
    GALLERIES

  • 55

    રાજ્યમાં આજે 8 જિલ્લામાં Coronaના શૂન્ય કેસ, 2.63 લાખ વ્યક્તિનું રસીકરણ થયું

    રાજ્યમા આજે કુલ 2,63,630 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે જ્યારે અત્યારસુધીમાં કુલ 2,08, 21, 654 વ્યક્તિઓને પ્રથમ અને બીજો ડોઝ મળીને રસી આપવામાં આવી છે. ગુજરાતે રસીકરણમાં ભરેલી આ હરણફાળ ખૂબ જ ઝડપી છે. કેસની સંખ્યામાં ઘટાડો થતા રાજ્યનો રિકવરી રેટ 97.70 ટકાએ પહોંચી ગયો છે. (અહેવાલની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

    MORE
    GALLERIES