

અમદાવાદ : રાજ્યમાં 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણના (corona Vaccination) અભિયાનની વચ્ચે કોરોનાના (Coronavirus) વળતા પાણી સામે આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 353 જ નવા કેસ (Gujarat Corona cases) નોંધાયા છે જ્યારે તેની સામે 462 દર્દી સાજા થયા છે. જોકે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે રાજ્યમાં અત્યારસુધીમાં 95,909 વ્યક્તિને (Gujarat corona Vaccine Meter) રસી મળી ચુકી છે. આ અભિયાનમાં આજે 3,787 વ્યક્તિનો ઉમેરો થયો છે. (ફાઇલ તસવીર)


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 75, વડોદરામાં 85, રાજકોટમાં 64, પંચમહાલમાં 9, સાબરકાંઠામાં 9, મોરબીમાં 6, સુરતમાં 6, ભરૂચમાં 5, ગાંધીનગરમાં 9, જૂનાગઢમાં 8, કચ્છમાં 5, નર્મદામાં 5 કેસ નોંધાયા છે.


જ્યારે ભાવનગરમાં 4, ગીરસોમનાથમાં 4, અમરેલીમાં 3, આણંદમાં 3, દેવભૂમિ દ્વારકામાં 3, જામનગરમાં 5, ખેડામાં 3, મહીસાગરમાં 2, મહેસાણામાં 2, પાટણમાં 2, અરવલ્લી 1, છોટાઉદેપુરમાં 1, દાહોદમાં 1, સુરેન્દ્રનગરમાં 1, વલસાડમાં 1 એમ કુલ 353 નવા કેસ નોંધાયા છે.


રાજ્યમાં હાલમાં કુલ 3976 એક્ટિવ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આ પૈકીના 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 3933 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2,51,862 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 4382 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં આજે અમદાવાદમાં એક મોત થતા મૃત્યુનો આંકડો સાવ ઘટી ગયો છે.