

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કિરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોક ડાઉન ની સ્થિતિમાં રાહત રૂપ જાહેરાતો કરી છે. મુખ્ય મંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ જાહેરાતોની વિગતો આપી હતી . મુખ્યમંત્રી એ રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસ નો વપરાશ પોતાના ઉદ્યોગ એકમો માં કરે છે તેમને 4 જેટલી રાહતો આપી છે.


મુખ્યમંત્રીએ રાજ્યમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લી. નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ 2020 ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ 10 મે સુધી વધારી આપવા નો નિણર્ય કર્યો છે. તારીખ 10 મે ના ડ્યુ થતી રકમ હવે 23 જૂન સુધી ભરી શકાશે અને આ માટે 15 15 દિવસ ના ચાર હપ્તા આપવામાં આવશે.


વિજય રૂપાણી એ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય આવા ઉદ્યોગકારો માટે લઈને એવું પણ જાહેર કર્યું છે કે ઉદ્યોગકારોને દર મહિને બિલમાં ભરવાનો થતો ફિક્સ ચાર્જ મીનીમમ ઓફ ટેક પ્રાઇસ માંથી પણ 3 મહિના એટલેકે એપ્રિલ મે અને જૂન માસ માટે મુક્તિ આપવામાં આવી છે.


તેમણે એવી મહત્વ ની રાહત પણ આ ઉદ્યોગોને આપી છે કે ગુજરાત ગેસ કંપની લિમિટેડ ના બિલ ની વિલંબિત ચુકવણી એટલેકે મોડા ભરવા માં આવે તો જે 18 ટકા વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું તે હવે 10 ટકા જ વસૂલ કરાશે.