હર્મેશ સુખડિયા, અમદાવાદ: 25 મી ડિસેમ્બર ક્રિસમસની ઉજવણી દુનિયા ભરમાં થઇ રહી છે. ત્યારે આ દિવસે લોકો માટે મહત્વ નો અને ખાસ બની રહેતો હોય છે. ખાસ કરીને ખ્રિસ્તી લોકો માટે 25મી ડિસેમ્બરે તહેવાર છે. ત્યારે આ દિવસના ગર્ભવતી મહિલાઓ પણ વધુ ખાસ અને યાદગાર બનાવ્યો છે. મેટરનિટી હોસ્પિટલમાં વર્ષના આવા ખાસ દિવસે બાળકોના જન્મને લઈને ખાસ ઈન્કવાયરી આવતી હોય છે. ત્યારે અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી સાનિધ્ય હોસ્પિટલમાં ડો. અર્ચના શાહએ આ જ દિવસે ખાસ ઓપરેશન અને આયોજનબધ ચાર બાળકોના જન્મ કરાવ્યા છે.
ડો. અર્ચનાએ જણાવ્યું કે આ દિવસને આખો દેશ સેલિબ્રેટ કરતો હોય છે અને આ દિવસ ખાસ લોકોને યાદ રહે અને સાથે જ બાળકના જન્મદિવસની પણ ઉજવણી યાદગાર બની રહે તે માટે આવી ઇન્કવાયરી આવતી હોય છે અને બાદમાં મહિલાઓની ડિલિવરી કરાવવામાં આવે છે. ત્યારે દંપતીઓમાં વર્ષના આવા ખાસ દિવસે બાળકને જન્મ આપવા માટેનો એક અલગ ક્રેઝ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે.