ગીતા મહેતા, અમદાવાદ: કોરોના મહામારીને (Corona pandemic) કારણે આપણને ઓક્સિજનની (oxygen) કિંમત સમજાઇ છે. હાલ ઓક્સિજનની અછત પડી રહી છે ત્યારે આજે આપણે જોઇએ કે, કેવા વૃક્ષો (trees) વાવવાથી આપણને ઓક્સિજન વધારે પ્રમાણમાં મળે છે. આ મહામારીથી આપણે પ્રેરણા લઇને ભાવિ પેઢી માટે કાંઇ કરવું હોય તો આપણે ઘરની આસપાસ આ વૃક્ષો લગાવવા જોઇએ જેનાથી વાતાવરણ શુદ્ધ બને.
વડના વૃક્ષને ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ પણ કહેવાય છે. તેને હિંદુ ધર્મમાં પવિત્ર પણ માનવામાં આવે છે. વડનું વૃક્ષ બહુ લાંબુ થઈ શકે છે. તેના છાંયા પર નિર્ભર હોય છે કે -તે કેટલો ઓક્સિજન ઉત્પાદિત કરી શકે છે. હિંદુ ધર્મમાં પીપળાનું વૃક્ષ તો બૌદ્ધ ધર્મમાં તેને બોધી ટ્રી કહેવામાં આવે છે. કહેવાય છે કે, આ વૃક્ષની નીચે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પીપળાનું વૃક્ષ ૬૦થી ૮૦ ફૂટ લાંબુ થઈ શકે છે. આ વૃક્ષ સૌથી વધારે ઓક્સિજન આપે છે. જેના કારણે પર્યાવરણવિદ પીપળાનું વૃક્ષ લગાવવાનું વારંવાર કહે છે. આ વૃક્ષને એવરગ્રીન વૃક્ષ કહેવામાં આવે છે અને પર્યાવરણવિદોનું માનીએ તો આ એક નેચરલ એર પ્યુરીફાયર છે.
આ વૃક્ષ પ્રદૂષિત ગેસ જેવા કે કાર્બન ડાયોક્સાઈડ, સલ્ફર અને નાઈટ્રોજનને હવામાંથી ગ્રહણ કરીને પર્યાવરણમાં ઓક્સિજન છોડે છે. તેના પાંદડાની રચના એવી હોય છે કે, તે મોટા પ્રમાણમાં ઓક્સિજન ઉત્પાદિત કરી શકે છે. તે સાથે હંમેશા વધારેમાં વધારે લીમડાના વૃક્ષ લગાવવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી આજુબાજુની હવા એકદમ શુદ્ધ રહે છે.
આસોપાલવ માત્ર હવામાં ઓક્સિજન જ છોડતું નથી પરંતુ તેના ફૂલા પર્યાવરણને સુગંધિત રાખે છે અને તેની ખૂબસૂરતીને વધારે છે. આ એક નાનું વૃક્ષ હોય છે, જે એકદમ સીધું થાય છે. પર્યાવરણ નિષ્ણાતોનું માનીએ તો આસોપાલવનું વૃક્ષ લગાવવાથી માત્રા વાતાવરણ જ શુદ્ધ રહેતું નથી. પરંતુ તેની શોભા પણ વધે છે. આસોપાલવનું વૃક્ષ દરેક બીમારીને દૂર રાખે છે. આ વૃક્ષ ઝેરી ગેસ ઉપરાંત હવાના બીજા દૂષિત કણોને પણ ગ્રહણ કરી લે છે.