

રાજ્યમાં 19મી ઑક્ટોબરે કોરોના વાયરસના 1126 નવા કેસ પોઝિટિવ (20 October Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1128 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 8 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,61,848 એ પહોંચી ગયો છે.


રાજ્યમાં 24 કલાકમાં સુરતમાં 231, અમદાવાદમાં 178, વડોદરામાં 113, રાજકોટમાં 103, જામનગરમાં 69, મહેસાણામાં 46, કચ્છમાં 16, પંચમહાલમાં 17, અમરેલીમાં 20, બનાસકાંઠા 26, સાબરકાંઠામાં 28 , મોરબીમાં 12, સુરેન્દ્રનગરમાં 30 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


ગાંધીનગરમાં 43, જૂનાગઢમાં 21, પાટણમાં 13, ગીરસોમનાથમાં 13, નર્મદામાં 33, ભાવનગરમાં 19, દાહોદમાં 11, આણંદ 14, બોટાદ 4, ખેડામાં 7, દેવભૂમિ દ્વારકામાં 4, છોટાઉદેપુર 5, મહીસાગરમાં 2, નવસારીમાં 9, અરવલ્લી 2, તાપીમાં 7, વલસાડમાં 2 મળીને કુલ 1126 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્યમાં સરકારી ચોપડે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ 14267 દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 14191 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 1,43,927 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે 3654 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)


દરમિયાન રાજ્યમાં આજે 52,915 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યનો રિકવરી દર 88.93 ટકાએ પહોચ્યો હતો. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે સાથે ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. (પ્રતિકાત્મક તસવીર)