Home » photogallery » જીવનશૈલી » વિજ્ઞાનનો ચમત્કાર: હવે માણસના શરીરમાં ધડકશે જાનવરનું હૃદય

વિજ્ઞાનનો ચમત્કાર: હવે માણસના શરીરમાં ધડકશે જાનવરનું હૃદય

આ બાજુ વિજ્ઞાને નવો આવિસ્કાર કરી અંગ પ્રત્યારોપણની સમસ્યાને પહોંચી વળવા નવી રીત શોધી કાઢી છે.

  • 16

    વિજ્ઞાનનો ચમત્કાર: હવે માણસના શરીરમાં ધડકશે જાનવરનું હૃદય

    આને વિજ્ઞાનનો ચમત્કાર કહો કે, માણસની કાબેલિયત. પરંતુ, આ સાચુ છે કે, હવે તે દિવસો દૂર નથી કે, જ્યારે પશુઓના અંગ માણસના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. એટલે કે, હવે પ્રત્યારોપણ માટેના અંગ મેળવવા માટે લાંબો સમય રાહ જોવાની જરૂર નહી રહે.

    MORE
    GALLERIES

  • 26

    વિજ્ઞાનનો ચમત્કાર: હવે માણસના શરીરમાં ધડકશે જાનવરનું હૃદય

    દુનિયાભરમાં હાલમાં અંગ દાનને લઈ ચર્ચાઓ ચાલી રહી છે, તો આ બાજુ વિજ્ઞાને નવો આવિસ્કાર કરી અંગ પ્રત્યારોપણની સમસ્યાને પહોંચી વળવા નવી રીત શોધી કાઢી છે. સારવાર ક્ષેત્રે વૈજ્ઞાનિકો ઝડપથી ક્રાંતીકારી પગલા વધારી રહ્યા છે. જાણકારી અનુસાર, ગંભીર બીમારીથી પરેશાન લોકોના શરીરમાં ભૂંડનું હૃદય લગાવવાની સંભાવના ઘણી વધી ગઈ છે.

    MORE
    GALLERIES

  • 36

    વિજ્ઞાનનો ચમત્કાર: હવે માણસના શરીરમાં ધડકશે જાનવરનું હૃદય

    જર્મનીના વૈજ્ઞાનિકોએ પૂરા મેડિકલ અથવા વિજ્ઞાન જગતને પોતાના નવા પ્રયોગથી આશ્ચર્યમાં નાખી દીધા છે. તેમણે એક વાંદરાની પ્રજાતીના શરીરમાં સફળતા પૂર્વક ભૂંડનું હૃદય લગાવવામાં સફળતા મેળવી છે. ભૂંડનું હૃદય લગાવ્યા બાદ આ વાંદરો 6 મહિનાથી વધારે સમય જીવીત રહ્યો હતો.

    MORE
    GALLERIES

  • 46

    વિજ્ઞાનનો ચમત્કાર: હવે માણસના શરીરમાં ધડકશે જાનવરનું હૃદય

    વૈજ્ઞાનિકોએ આને મીલનો પથ્થર બતાવ્યો છે. એક પશુના સ્વસ્થ્ય હૃદયને બીજી પ્રજાતીના શરીરમાં પ્રત્યારોપણ કરવાની પ્રક્રિયાને એક્સેનાટ્રાંસપ્લાન્ટેશન કહેવામાં આવે છે. નેચરલ જર્નલમાં પ્રકાશિત આ અધ્યયનમાં માનવામાં આવી રહ્યું છે કે, આ પ્રક્રિયાથી ભવિષ્યમાં માણસને પણ નવું જીવન આપી શકાશે. પ્રત્યારોપણ માટે ભૂંડની જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવ્યો, જેથી બીજી પ્રજાતિની પ્રતિક્રિયાને દબાવી શકાય.

    MORE
    GALLERIES

  • 56

    વિજ્ઞાનનો ચમત્કાર: હવે માણસના શરીરમાં ધડકશે જાનવરનું હૃદય

    શોધકર્તાઓએ ત્રણ અલગ-અલગ સમૂહ પર આ પ્રયોગ કર્યો. પૂરા અભ્યાસ દરમ્યાન 16 વાંદરા શામેલ કરવામાં આવ્યા. અંતિમ ગ્રુપમાં તેમણે પ્રત્યારોપણમાં સફલતા મેળવી. હૃદય રોગના પ્રોફેસર મૈક્ગ્રેગોરનું કહેવું છે કે, આ અભ્યાસ ખુબ મહત્વનો છે. આ આપણને હૃયની બિમારીની સમસ્યા ખતમ કરવામાં ઘણો મદદરૂપ થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 66

    વિજ્ઞાનનો ચમત્કાર: હવે માણસના શરીરમાં ધડકશે જાનવરનું હૃદય

    શોધકર્તાઓએ હૃયને ઓક્સિજન પહોંચાડતા આ લાંબી પ્રક્રિયાને પૂરી કરી. આને માટે તેમણે પૂરો સમય અંગમાં રક્ત પરિસંચરણ કર્યું. આ કારણથી વાંદરાનું રક્તચાપ ઓછુ હોવા છતા પ્રત્યારોપિત અંગનો આકાર ના વધ્યો. અંતિમ સમૂહના પાંચમાંથી ચાર વાંદરા 90 દિવસ સુધી સ્વસ્થ્ય રહ્યા, જ્યારે એક 195 દિવસો સુધી સારૂ રહ્યું.

    MORE
    GALLERIES