Home » photogallery » જીવનશૈલી » શતાવરીનાં ફાયદા જાણો છો તમે? ચરબી ઘટાડવાથી લઇને યાદશક્તિ વધારવામાં છે ઉપયોગી

શતાવરીનાં ફાયદા જાણો છો તમે? ચરબી ઘટાડવાથી લઇને યાદશક્તિ વધારવામાં છે ઉપયોગી

શતાવરી તેવા લોકો માટે રામબાણ સાબિત થાય છે જે પોતાના વધેલા વજનથી પરેશાન છે.

विज्ञापन

  • 17

    શતાવરીનાં ફાયદા જાણો છો તમે? ચરબી ઘટાડવાથી લઇને યાદશક્તિ વધારવામાં છે ઉપયોગી

    શતાવરી (Shatavari)હિમાલયના વિસ્તારોમાંથી મળી આવતી ઔષધીય જડી-બૂટ્ટી છે. ભારતમાં શતાવરીને વસંત ઋતુની શાકભાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખૂબ જ લૉ કેલેરીવાળો આહાર છે. એકથી બે મીટર લાંબી શતાવરી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેના ઉપયોગથી કેટલાય શારીરિક ફાયદાઓ થાય છે. આ જડી બૂટ્ટી ઝડપથી વજન ઘટાડવામાં (Weight Loss) મદદરૂપ થાય છે. આ સાથે જ આ ઔષધી ત્વચામાં (Skin) પણ નિખાર લાવે છે. તો આજે આપણે શતાવરીના ફાયદાઓ અંગે જાણીએ.

    MORE
    GALLERIES

  • 27

    શતાવરીનાં ફાયદા જાણો છો તમે? ચરબી ઘટાડવાથી લઇને યાદશક્તિ વધારવામાં છે ઉપયોગી

    શતાવરી તેવા લોકો માટે રામબાણ સાબિત થાય છે જે પોતાના વધેલા વજનથી પરેશાન છે. આમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે જે શરીરની ચરબી ઓછી કરવામાં મદદરપ થાય છે.

    MORE
    GALLERIES

  • 37

    શતાવરીનાં ફાયદા જાણો છો તમે? ચરબી ઘટાડવાથી લઇને યાદશક્તિ વધારવામાં છે ઉપયોગી

    શતાવરી એન્ટીઑક્સિડેન્ટ તત્ત્વથી ભરપૂર હોય છે, જે હૃદયની બીમારીઓથી બચવા માટે ફાયદાકારક છે. આ સાથે શતાવરીના ઉપયોગથી ત્વચા ચમકદાર બને છે. આ ચહેરાની કરચલીઓને દૂર કરે છે. તેમાં એન્ટીઑક્સિડેન્ટ ગ્લૂટાથિયોન હોય છે જે ખીલથી પણ ચહેરાને રક્ષણ આપે છે.

    MORE
    GALLERIES

  • 47

    શતાવરીનાં ફાયદા જાણો છો તમે? ચરબી ઘટાડવાથી લઇને યાદશક્તિ વધારવામાં છે ઉપયોગી

    શતાવરી માઇગ્રેનથી થતા દુખાવામાં પણ છૂટકારો અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે લોકોને ઊંઘ નથી આવતી તેમના માટે પણ શતાવરી ફાયદાકારક છે. આ તણાવને દૂર કરે છે અને અનિંદ્રાથી મુક્તિ અપાવે છે. શતાવરીમાં ભરપૂર પ્રમાણમાં ફોલેટ હોય છે. તેના ઉપયોગથી બાળકમાં કરોડરજ્જુ સંબંધિત સમસ્યા ઉદ્દભવતી નથી અને તે માનસિક સમસ્યાઓથી પણ બચી શકે છે.

    MORE
    GALLERIES

  • 57

    શતાવરીનાં ફાયદા જાણો છો તમે? ચરબી ઘટાડવાથી લઇને યાદશક્તિ વધારવામાં છે ઉપયોગી

    શતાવરી સામાન્ય રીતે તો ઔષધિય ગુણોથી ભરપૂર છે, પરંતુ કેટલાક લોકોને નુકશાન પણ પહોંચાડી શકે છે. તેની સાઇડ ઇફેક્ટ્સ પણ થઇ શકે છે. એટલા માટે ખૂબ જ સાવધાની પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઇએ. જે લોકોને ડુંગળીથી એલર્જી છે, તેમને શતાવરીના ઉપયોગથી પણ એલર્જી થઇ શકે છે.

    MORE
    GALLERIES

  • 67

    શતાવરીનાં ફાયદા જાણો છો તમે? ચરબી ઘટાડવાથી લઇને યાદશક્તિ વધારવામાં છે ઉપયોગી

    શતાવરી મેધાવર્ધક એટલે કે યાદશક્તિ વધારનાર છે. શતાવરી, બ્રાહ્મી, શંખપુષ્પી સરખા વજને લઈ, ચૂર્ણ બનાવી, અડધી ચમચી જેટલું આ ચૂર્ણ રોજ દૂધ સાથે આપવાથી બાળકોની યાદશક્તિ વધે છે.

    MORE
    GALLERIES

  • 77

    શતાવરીનાં ફાયદા જાણો છો તમે? ચરબી ઘટાડવાથી લઇને યાદશક્તિ વધારવામાં છે ઉપયોગી

    રક્તના વિકારોને શતાવરી પોતાની શીતળતાથી મટાડે છે. શરીરના કોઈ પણ છિદ્ર (નાક, કાન, ગુદા વગેરે)માંથી રક્તસ્રાવ થતો હોય તો તેમાં શતાવરી, સારીવા અને સાકરનું સરખા ભાગે બનાવેલું ર્ચ્ણ, અડધી ચમચીની માત્રામાં સવાર-સાંજ પાણી સાથે લેવાથી રક્તસ્રાવ એક-બે દિવસમાં બંધ થાય છે.=

    MORE
    GALLERIES