મગની દાળના વડા બનાવવા માટે ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક દાળ પલાળી રાખવી પડે છે. પરંતુ જો તમે અડદની દાળ પણ નાંખતો હોવ તો આ સમય વધુ થાય છે. આથી અડદની દાળ હોય તો પાંચથી છ કલાક કે આખી રાત દાળ પલાળી રાખવી. દાળ પલળી જાય પછી ગ્રાઈન્ડરમાં નાંખીને દાળને વાટી નાંખો. તેમાં સમારેલા મરચા, આદુ, હીંગ નાંખી મિક્સ કરો. વધુ પાણી ઉમેરી ફરી તેને મુલાયમ પેસ્ટ બને ત્યાં સુધી ગ્રાઈન્ડ કરો. જરૂર પડે તો વધારે પાણી ઉમેરો.
દાળવડા તળવા માટે એક કડાઈ કે પેનમાં તેલ લઈને ગરમ કરો. જે બાદ ચમચી કે હાથની મદદથી ગરમ તેલમાં ખીરું વડા બને તેમ નાંખતા જાવ. તે સહેજ ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી તેને તળો. દાળવડા સોનેરી રંગના થાય એટલે તેને કાઢી લો. ગરમાગરમ દાળવડા લીલી ચટણી, આમલીની ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. આ સાથે ગરમાગરમ તળેલા લીલા મરચાં પણ સહેજ નમક નાંખીને સર્વ કરો.