Home » photogallery » જીવનશૈલી » કાળી અડદની દાળ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાની સાથે સાથે નુકસાનદાયક પણ છે, જાણો સંપૂર્ણ વિગત

કાળી અડદની દાળ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાની સાથે સાથે નુકસાનદાયક પણ છે, જાણો સંપૂર્ણ વિગત

આયુર્વેદમાં આ દાળનો ઉપયોગ માથાનો દુખાવો, લિવરનો સોજો ઓછો કરવામાં, લકવાથી રાહત મેળવવામાં, સાંધાના દુખાવો, અલ્સર, તાવ અને સોજા જેવી અનેક બીમારીઓને દૂર કરવા માટે તેનો પ્રયોગ કરવામાં આવે છે. કાળા ફોતરાવાળી અડદની દાળનું સેવન કરવાથી તમને નુકસાન પણ થઈ શકે છે.

विज्ञापन

  • 15

    કાળી અડદની દાળ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાની સાથે સાથે નુકસાનદાયક પણ છે, જાણો સંપૂર્ણ વિગત

    કાળા ફોતરાવાળી અડદની દાળ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે લાભદાયી પણ છે. આ દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન. કાર્બોહાઈડ્રેટ ફેટ, વિટામીન બી 6, આયર્ન, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નીશિયમ અને પોટેશિયમ જેવા પોષકતત્વ રહેલા છે. આ દાળ તમારા હ્રદય માટે લાભદાયી છે અને નર્વસ સિસ્ટમ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 25

    કાળી અડદની દાળ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાની સાથે સાથે નુકસાનદાયક પણ છે, જાણો સંપૂર્ણ વિગત

    ફાયદા- વનએમજી અનુસાર કાળા ફોતરાવાળી અડદની દાળની તાસીર ઠંડી હોય છે અને અનેક પ્રકારની બીમારીઓ માટે લાભદાયી છે. આયુર્વેદમાં આ દાળનો ઉપયોગ માથાનો દુખાવો, લિવરનો સોજો ઓછો કરવામાં, લકવાથી રાહત મેળવવામાં, સાંધાના દુખાવો, અલ્સર, તાવ અને સોજા જેવી અનેક બીમારીઓને દૂર કરવા માટે તેનો પ્રયોગ કરવામાં આવે છે. કાળા ફોતરાવાળી અડદની દાળનું સેવન કરવાથી તમને નુકસાન પણ થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 35

    કાળી અડદની દાળ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાની સાથે સાથે નુકસાનદાયક પણ છે, જાણો સંપૂર્ણ વિગત

    યૂરિક એસિડ વધી શકે છે- હેલ્થસાઈટ અનુસાર કાળા ફોતરાવાળી અડદની દાળનું વધુ સેવન કરવાથી બ્લડમાં યૂરિક એસિડ વધવાનું જોખમ રહે છે. યૂરિક એસિડ વધવાને કારણે કિડનીમાં કેલ્સિફિકેશન સ્ટોન બની શકે છે. જે લોકોને કિડનીમાં પથરી હોય છે તેમને આ દાળનું સેવન કરવાની ના પાડવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 45

    કાળી અડદની દાળ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાની સાથે સાથે નુકસાનદાયક પણ છે, જાણો સંપૂર્ણ વિગત

    ગાંઠ થવાની સંભાવના- ગાંઠની બીમારીથી પીડિત લોકોને અડદની દાળનું સેવન કરવાની ના પાડવામાં આવે છે. આ દાળનું સેવન કરવાથી ગઠિયાની સમસ્યામાં વધારો થઈ શકે છે. અડદની દાળનું વધુ સેવન કરવાથી પિત્તની પથરી કે ગાઉટ થવાનું જોખમ રહે છે. જો તમે આ પ્રકારની કોઈપણ દવાનું સેવન કરો છો તો અડદની દાળનું સેવન બિલકુલ પણ ન કરવું.

    MORE
    GALLERIES

  • 55

    કાળી અડદની દાળ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાની સાથે સાથે નુકસાનદાયક પણ છે, જાણો સંપૂર્ણ વિગત

    અપચાની સમસ્યા- અડદની દાળનું વધુ સેવન કરવાથી અપચાની અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. જે લોકોને ગેસની સમસ્યા, કબજિયાત અને અપચાની સમસ્યા છે તેમણે ડૉકટરની સલાહ લીધા બાદ આ દાળનું સેવન કરવું. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટિ કરતું નથી, તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.

    MORE
    GALLERIES